પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!

આ વીડિયો પ્રિન્ટિંગ પ્રેસની (printing press) અંદરનો છે. આમાં કાગળ બનાવવાથી લઈને ચલણી નોટ (Currency Note) બહાર આવવાની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી છે.

પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:52 PM

તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આપણે જે નોટ વાપરીએ છીએ કે ખિસ્સામાં રાખીએ છીએ તે કેવી રીતે છાપવામાં આવે છે? આ નોટનો કાગળ કેમ અલગ છે, શાહી શા માટે ભૂંસાતી નથી. નોટ ઉપર અમુક વોટરમાર્ક હોય જેથી આપણે જાણી શકીએ છીએ કે, નોટ સાચી છે કે ખોટી? એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આખરે નોટ છાપવામાં કેમ આવે છે.

આ વીડિયો પ્રિન્ટિંગ પ્રેસની (printing press) અંદરનો છે. આમાં કાગળ બનાવવાથી લઈને ચલણી નોટ (Currency Note) બહાર આવવાની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી છે. આ વીડિયો યુરોપિયન સેન્ટ્રલ બેન્કનો છે, જેમાં આપણે યુરો છાપતા જોવા મળી રહ્યો છે. વીડિયો ખૂબ જ રસપ્રદ છે. જે આપણને પ્રિન્ટિંગ પ્રેસ વિશે સંપૂર્ણ માહિતી આપે છે. વીડિયોને ક્રાફ્ટી પાંડાના ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારતમાં ચાર જગ્યાએ નોટો છાપવામાં આવે છે

ભારતમાં ચલણી નોટો ચાર જગ્યાએ છાપવામાં આવે છે. જેમાં નાસિક, દેવાસ, મૈસુર અને સાલ્બોની (પશ્ચિમ બંગાળ) છે. કોઈપણ ચલણી નોટ ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જ છાપવામાં આવે છે. દેવાસની બૅંક નોટ પ્રેસ અને નાસિકની કરન્સી નોટ પ્રેસ નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હેઠળ કામ કરે છે. જ્યારે મૈસુર અને સાલ્બોની પ્રેસ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી કંપની ભારત રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડને આધીન છે.

આરબીઆઈની રચના 1935માં થઈ હતી

ભારતમાં ચલણી નોટો છાપવા અને પૈસા અને ચલણના વ્યવહારો રાખવા માટે ભારતીય રિઝર્વ બેંકની રચના 1935માં કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 10 હજાર રૂપિયાની નોટ પણ છાપી હતી, જે આઝાદી પછી બંધ કરી દેવામાં આવી હતી. 1938માં આરબીઆઈએ પ્રથમ નોટ છાપી હતી. જે પાંચ રૂપિયાની નોટ હતી. તેમાં કિંગ જ્યોર્જ -6 ની તસવીર હતી.

એક રૂપિયાની નોટ 100 વર્ષ કરતા પણ વધુ જૂની

એક રૂપિયાની નોટ દેશની સૌથી જૂની છે. 30 નવેમ્બર 1917ના રોજ પહેલીવાર એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. તે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ખરેખર, વિશ્વયુદ્ધ દરમિયાન એક રૂપિયાનો સિલ્વર સિક્કો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પરંતુ યુદ્ધને કારણે તેમને બનાવવામાં મુશ્કેલી શરૂ થઈ. આ સ્થિતિમાં લોકોની હાજરીમાં પહેલીવાર એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી, જેના પર જોર્જ પાંચનો ફોટો છાપવામાં આવ્યો હતો.

નોટનો કાગળ ચાર જગ્યાએ તૈયાર થાય છે ચલણી નોટ પ્રિન્ટિંગ પેપર વિશ્વમાં ચાર જગ્યાએ મળી આવે છે. મશીનો દ્વારા આ કાગળને ખાસ કાગળમાં પરિવર્તિત કરવામાં આવે છે.

1. ફ્રાન્સની આર્ગો વિગિસ 2. અમેરિકાનું પોર્ટલ 3. સ્વીડનનો ગેન 4. પેપર ફેબ્રિક્સ લ્યુસેન્ટલ

આ પણ વાંચો : સાઉદી અરેબિયાનું મહિલા સશક્તિકરણને લઈને મોટું પગલું, મક્કામાં પહેલીવાર મહિલા સૈનિકો તૈનાત

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">