ભારત પહોંચતા જ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા PM મોદીને મળશે, ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવવા રવાના થઈ ગઈ છે. ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ભારત પહોંચશે. ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

ભારત પહોંચતા જ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા PM મોદીને મળશે, ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે
PM Modi, Virat Kohli, Rohit Sharma
Follow Us:
| Updated on: Jul 03, 2024 | 7:00 PM

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી ગઈ છે. ભારતીય ખેલાડીઓ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તેમના દેશમાં આવી રહ્યા છે. આ પ્લેનનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ટીમ ઈન્ડિયા ભારતમાં ક્યાં ઉતરશે અને સૌથી પહેલા કોને મળશે તેનો ખુલાસો થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયા PM મોદી સાથે મુલાકાત કરશે

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સીધી નવી દિલ્હી આવશે. ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ભારત પહોંચશે. આ પછી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ બેઠક લગભગ 11 વાગ્યે થશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ પછી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે.

2023નો ODI વર્લ્ડ કપ યાદ છે?

ભારતીય ક્રિકેટ ચાહકો 2023ના વર્લ્ડ કપની ફાઈનલને ક્યારેય ભૂલ્યા નથી. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વ્યક્તિ હતા જેમણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મેચ પુરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરતા અને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

ટીમ ઈન્ડિયાની લાંબી રાહનો આવ્યો અંત

ટીમ ઈન્ડિયાની આ જીત ઘણી ખાસ છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ICC ટ્રોફી માટે 11 વર્ષની લાંબી રાહનો પણ અંત કર્યો છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈ સૌથી મોટા સમાચાર, જાણો કયારે થશે બંને ટીમોની ટક્કર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">