દિલ્હીની ટિમને બીસીસીઆઈનો ઝટકો, ઋષભ પંત પર લાગી શકે છે પ્રતિબંધ, આખી ટિમને ફટકારાયો લાખ્ખોનો દંડ, જાણો

ગઈકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ, દિલ્હી વિરુદ્ધ કોલકત્તાની મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને બીસીસીઆઈએ દંડ ફટકાર્યો છે. ઋષભ પંતને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર અભિષેક પોરેલ સહિત દિલ્હી કેપિટલ્સ ઇલેવનના અન્ય સભ્યોને રૂ. 6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિલ્હીની ટિમને બીસીસીઆઈનો ઝટકો, ઋષભ પંત પર લાગી શકે છે પ્રતિબંધ, આખી ટિમને ફટકારાયો લાખ્ખોનો દંડ, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 11:44 AM

ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને ગઈકાલ બુધવાર, 3 એપ્રિલની રાત્રે બેવડો ફટકો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાંદિલ્હી કેપિટલ્સ 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે બીસીસીઆઈએ દિલ્હી કેપિટલ્સ પર લાખો રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ વખતે બીસીસીઆઈએ આ દંડ દિલ્હી કેપિટલ્સના માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે.

દિલ્હી કેપિટલ્સ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. આઈપીએલ 2024માં દિલ્હીની ટીમ દ્વારા, ધીમા ઓવર રેટ અંગે બીજી વખત આ ભૂલ કરી છે, જેના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આકરો દંડ લગાવવામાં આવ્યો છે. તો બીજી બાજૂ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત ઉપર એક મેચના પ્રતિબંધનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન “ધીમો ઓવર રેટ રાખવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.”

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઋષભ પંતને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર અભિષેક પોરેલ સહિત દિલ્હી કેપિટલ્સ ઇલેવનના અન્ય સભ્યોને રૂ. 6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અખબારી યાદીમાં આગળ જણાવાયું છે કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના નિયમને લગતો દિલ્હી કેપિટલ્સની ટીમનો વર્તમાન સીઝનનો આ બીજો ગુનો હોવાથી, કેપ્ટન ઋષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટિમના બાકીના પ્લેઇંગ ઇલેવન, જેમાં ઈમ્પેક્ટ પ્લેયર સહીતના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય એટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો ટિમના કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. આઈપીએલના નિયમો અનુસાર, જો ટીમ ત્રીજી વખત સ્લો ઓવરરેટની ભૂલનું પુનરાવર્તન કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડ સાથે એક મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે, આની સાથોસાથ, ઈમ્પેક્ટ પ્લેયર સહિતના ટીમના બાકીના ખેલાડીઓને 12-12 લાખની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. આ નિયમ મુજબ રૂપિયા 12 લાખનો દંડ અથવા તેમની મેચ ફીના 50 ટકા રકમ એ બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમનો દંડ લાદવામાં આવે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">