IPL 2024 SRH vs GT : વરસાદના કારણે મેચ રદ્દ, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં થયું ક્વોલિફાય

IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.

IPL 2024 SRH vs GT : વરસાદના કારણે મેચ રદ્દ, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં થયું ક્વોલિફાય
Sunrisers Hyderabad
Follow Us:
| Updated on: May 16, 2024 | 10:52 PM

IPL 2024 ની 66મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને એક પણ બોલ ફેંક્યા વિના આ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતાંની સાથે જ બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. આ સાથે હૈદરાબાદની ટીમના 15 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ગુજરાતની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તેના માટે આ માત્ર ઔપચારિક મેચ હતી. હવે હૈદરાબાદની ટીમની લડાઈ ટોપ-2માં રહેવાની રહેશે.

હૈદરાબાદમાં વરસાદને કારણે નુકસાન થયું

IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ મેચ રદ્દ થવાના કારણે તેને નુકસાન થયું છે. હૈદરાબાદ શાનદાર ફોર્મમાં હતું અને તેણે 8 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવ્યું હતું. 166ના ટાર્ગેટનો પીછો 9.4 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના કરી લીધો હતો. આ સિવાય ટીમને એક સપ્તાહનો આરામ પણ મળ્યો છે. આવી સ્થિતિમાં, તેની પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ સામે બદલો લેવાની અને 2 પોઈન્ટ મેળવવાની તક હતી. આ રીતે ટીમને 18 પોઈન્ટ બનાવવાની તક મળી હોત. પરંતુ મેચ રદ્દ થવાને કારણે એક પોઈન્ટ ગુમાવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હવે ટોપ-2 માટેની લડાઈ

સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં ત્રીજા નંબર પર છે, પરંતુ હવે તે ટોપ-2માં પહોંચવાનો પ્રયાસ કરશે. આ માટે તેની માત્ર એક મેચ બાકી છે, તે 19મી મેના રોજ આ જ મેદાન પર પંજાબ કિંગ્સ સામે રમશે. જો પેટ કમિન્સની ટીમ આ મેચ જીતે છે તો તેના 17 પોઈન્ટ થઈ જશે. પરંતુ ટોપ-2 સુધી પહોંચવા માટે આ પૂરતું નથી. આ માટે રાજસ્થાન રોયલ્સે તેની 14મી અને છેલ્લી ગ્રુપ મેચ પણ હારવી પડશે.

આ પણ વાંચો : IPL 2024 : RCBએ છેલ્લી મેચ પહેલા ધોનીને આપ્યો ‘કપ’, માહીએ માંગી ‘ચા’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">