
અમદાવાદ અને દ્વારકા સુધી ટ્રેનમાં અથવા ટેક્સી મારફતે પણ જઈ શકો છો. ત્યારબાદ દ્વારકા મંદિરની મુલાકાત લઈ ત્યાંથી નાગેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે સોમનાથ મંદિરમાં દર્શન કરી પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ ભાલકા તીર્થની મુલાકાત લઈ શકશો. ત્રીજા દિવસે ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત ઉપરકોટ કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. તેમજ જૂનાગઢમાં આવેલા જૈન મંદિરમાં પણ દર્શન કરી શકો છો. પાંચમાં દિવસે જૂનાગઢથી ટ્રેન મારફતે અમદાવાદ પરત ફરી શકો છો.

ટ્રેન મારફતે તમે સૌથી પહેલા દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કરી શકો છો. તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ત્યારબાદ બીજા દિવસે સોમનાથના દર્શન કરી પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. તેમજ ભાલકા તીર્થ જોઈ શકો છો. ત્રીજા દિવસે ગીર નેશનલ પાર્ક જઈ ત્યાં સિંહ દર્શન કરી શકો છો. ચોથા દિવસે તમે ઉપરકોટ અને જૂનાગઢના જૈન મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે ગાંધીનો ડેલાની મુલાકાત લઈ શકો છો. તેમજ રાજકોટમાં આવેલા પ્રસિદ્ધ મંદિરના દર્શન કરી શકો છો. તો છઠ્ઠા દિવસે સુદામા મંદિરની મુલાકાત લઈ શકો છો. તેમજ પોરબંદર બીચની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત સાતમાં દિવસે પોરબંદરથી અમદાવાદ પરત ફરી શકો છો.