વંદે ભારત આપણા દેશની એક સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. જે આરમદાયક અને તેની સ્પીડ માટે જાણીતી છે. જે લોકો ટ્રાવેલિંગ માટે ફ્લાઈટમાં જતાં હતા તે લોકો પણ આજે વંદે ભારત તરફ આકર્ષાયા છે. તો ચાલો જાણીએ કેટલાક એવા રુટ વિશે જ્યાં તમે માતા-પિતાને ધાર્મિક સ્થળોના દર્શન કરાવી શકો છો.
આજે અમે તમને વંદે ભારતની કેટલીક એવી ટ્રેન વિશે જણાવીશું જે તીર્થ સ્થળો પર જાય છે. જેમાં યુપીમાં વારણસી, મહારાષ્ટ્રમાં શિરડી, જમ્મુમાં વૈષ્ણોદેવી અને આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજીના તીર્થ સ્થળો માટે તમન વંદે ભારતની ટિકિટ બુક કરાવી શકો છો.
અમદાવાદ- મુંબઈ રૂટ પર એક વંદે ભારત ટ્રેન દોડી રહી છે.12461/12462 જોધપુર - સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે, આ ટ્રેન દ્વારા તમે માતા-પિતાને મુંબઈમાં તેમજ નજીકના સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.
અમદાવાદ ઓખા વચ્ચે પણ વંદે ભારત ટ્રેન દોડે છે.આ ટ્રેન અમદાવાદ જં., સાબરમતી જં., સાણંદ, વિરમગામ જં., સુરેન્દ્રનગર જં., વાંકાનેર જં., રાજકોટ જં., જામનગર, દ્વારકા અને ઓખાને જોડે છે. હાલમાં તે ટ્રેન નંબર 22925/22926 સાથે અઠવાડિયાના 6 દિવસ ચાલે છે. તમે માતા-પિતાને વંદેભારત ટ્રેનમાં બેસાડી દ્વારકાધિશના દર્શન કરાવી શકો છો.
જો તમે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરવા માંગો છો, તો તમે ભારતીય રેલવેની IRCTCની વેબસાઇટ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો.