
ધોનીએ એક ઈન્ટરવ્યુમાં સંન્યાસ પર મોટી વાત કરી છે. આ નિવેદનથી માનવામાં આવે છે કે, તે હજુ પણ આઈપીએલમાં રમવાનું ચાલું રાખશે. ધોનીએ કહ્યું છે કે તે ઇચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે. તેણે તેમને કહ્યું કે તે તેની પોતાની ટીમ છે. આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હઈશ તો પણ, CSK મને ખેંચીને લઈ જશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સથી પોતાની શરુઆત કરી હતી. વચ્ચે 2 સીઝન માટે તે રાઈઝિંગ પૂણે સૂપરજાયન્ટસ માટે રમ્યો હતો.

તેના કરિયરની વાત કરીએ તો તેમણે અત્યારસુધી કુલ 264 મેચ રમી છે. આ મેચમાં તેના નામે 5243 રન છે.

ધોનીએ આઈપીએલમાં 137.53ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. પોતાના કરિયરમાં કુલ 24 વખત અડધી સદી ફટકારી છે.
Published On - 4:50 pm, Sun, 23 March 25