
પ્રથમ વખત ઘરઆંગણે ટીમ ઈન્ડિયા 50 રનની અંદર જ ઓલઆઉટ થઈ હતી. બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારત માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

19 વર્ષ પછી ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ટેસ્ટમાં હારી ગઈ. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની હાર સાથે ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં હારી ગઈ. 24 વર્ષ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાનું ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ થયું હતું.

41 વર્ષ પછી 2024માં એવો પ્રસંગ આવ્યો જ્યારે ભારતીય ટીમ એક વર્ષમાં ચાર ટેસ્ટ મેચ હારી ગઈ. ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે સતત ત્રણ મેચ હાર્યું.

ટીમ ઈન્ડિયા છેલ્લે 2011માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ હારી હતી. આ પછી ટીમ ઈન્ડિયાને 13 વર્ષ બાદ આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, આ મેદાન પર એકંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઠ વર્ષમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ 2014થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી રહી છે. 2014 પછી ટીમ ઈન્ડિયા સતત ચાર વખત આ શ્રેણી જીતી ચૂકી છે, પરંતુ હવે આ ક્રમ તૂટી ગયો છે. હજુ સિડની ટેસ્ટ બાકી છે, જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો સિરીઝ 2-2 થી બરાબર થઈ જશે. હવે ટીમ ઈન્ડિયા સિરીઝ જીતી શકશે નહીં પરંતુ જો સિડની ટેસ્ટ હારી જશે તો તે સિરીઝ પણ ગુમાવશે. (All Photo Credit : PTI / GETTY)