Haldwani violence : હલ્દવાનીમાં હિંસક ટોળાએ, પોલીસ પર ઉતાર્યો 10 દિવસ જૂનો ગુસ્સો ! પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગત ગુરુવારે બપોરે થયેલી ભયાનક હિંસાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. આરોપી અબ્દુલ માહિલની ગેરકાયદેસર જમીનનો કબજો લેવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ પછી, 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસા માટે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી.

Haldwani violence : હલ્દવાનીમાં હિંસક ટોળાએ, પોલીસ પર ઉતાર્યો 10 દિવસ જૂનો ગુસ્સો ! પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા
haldwani violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 8:23 PM

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે બપોરે થયેલી હિંસામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. હિંસાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો. વાસ્તવમાં ગત મહિને મહાનગરપાલિકાની ટીમ, ગેરકાયદેસર જમીનનો કબજો લેવા પહોંચી હતી. તે સમયે પણ અબ્દુલે હોબાળો મચાવ્યો હતો અને કોર્પોરેશનના કર્મચારીઓને અપમાનિત કર્યા હતા. માસ્ટરમાઇન્ડ મલિક તે સમયે જમીન સંબંધિત દસ્તાવેજો બતાવવામાં નિષ્ફળ ગયો હતો.

ગત 29 જાન્યુઆરીએ, હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પંકજ ઉપાધ્યાય તેમના ફોર્સ સાથે બનફૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલિકના બગીચાનો કબજો લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન આરોપી અબ્દુલ મલિક પણ ત્યાં હાજર હતો. કોર્પોરેશનના કર્મચારીઓએ કબજો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અબ્દુલ ત્યાં આવ્યો હતો અને બળજબરીપૂર્વક કોર્પોરેશનની ટીમ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અબ્દુલને જમીનને લગતા દસ્તાવેજો બતાવવા કહ્યું હતું, પરંતુ અબ્દુલ જમીનને લગતા દસ્તાવેજો બતાવી શક્યો ન હતો.

8 ફેબ્રુઆરીએ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી

કોર્પોરેશનની ટીમે આ વિવાદિત જમીન પર કબજો જમાવ્યો હતો, ત્યારબાદ 600 પોલીસકર્મીઓ સાથે ટીમ ગુરુવારે અહીં ગેરકાયદે બાંધકામ દૂર કરવા પહોંચી હતી. અહીં એક મદરેસા ચલાવવામાં આવી રહી હતી અને નમાઝની જગ્યા પણ હતી, તેને હટાવવા ગયેલી ટીમ પર નજીકના લોકોએ તેમના ઘરની છત પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને આ વિસ્તારમાં ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

થોડી જ વારમાં પરિસ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ કે પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓએ પોતાનો જીવ બચાવવા સ્થળ પરથી ભાગવું પડ્યું. હિંસામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા હતા. દરમિયાન, એકઠા થયેલા તોફાનીઓએ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા, તેને આગ લગાવી દીધી અને પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. હિંસા ઉપર ઉતરી આવેલા તોફાનીઓને શાંત કરવા માટે, વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા.

વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના એડમિટ કાર્ડ કર્ફ્યુ પાસ ગણાશે

નૈનીતાલના હલ્દવાનીમાં નવ પરીક્ષા કેન્દ્રો પર 11મી ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી છે. કોઈપણ યુવક કે જેઓ આ પરીક્ષા માટે જવા માંગે છે તેને અલગ કર્ફ્યુ પાસની જરૂર રહેશે નહીં. વહીવટીતંત્રે આદેશ જાહેર કર્યો છે કે પરીક્ષા માટેના ઉમેદવારોના એડમિટ કાર્ડને જ તેમનો કર્ફ્યુ પાસ ગણવામાં આવશે. આદેશ જારી કરતી વખતે વહીવટીતંત્રે કહ્યું છે કે ઉમેદવારોની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉમેદવારો તેમની સાથે માત્ર એક સભ્યને પરીક્ષા કેન્દ્રમાં લાવી શકશે. જો કોઈને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે તો તે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સંપર્ક કરી શકશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">