સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો, ASI સર્વે ચાલુ રહેશે

સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે, પરંતુ ધાર ભોજશાળામાં ખોદાણ કરવામાં નહીં આવે. કોર્ટે કેન્દ્ર સરકાર, ASI અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો, ASI સર્વે ચાલુ રહેશે
Bhojshala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 4:00 PM

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની ધાર ભોજશાળામાં ખોદાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે હવે ધાર ભોજશાળા પરિસરમાં ખોદકામ નહીં થાય. જ્યારે, સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે ASIના સર્વે બાદ કોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે પરંતુ ધાર ભોજશાળામાં ખોદકામ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભૌતિક ખોદકામ જેવું કંઈ ન હોવું જોઈએ જેનાથી ધાર્મિક સ્થળમાં કોઈ ફેરફાર થાય. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તમામ પક્ષકારોને નોટિસ પાઠવી હતી. હિન્દુ પક્ષ તરફથી ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે.

ભોજશાળા કમાલ મૌલાનાની મસ્જિદ કે સરસ્વતી મંદિર ?

હિન્દુ સમુદાય ભોજશાળા સંકુલને વાગદેવી (સરસ્વતી) નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય હંમેશા તેને કમાલ મૌલાનાની મસ્જિદ કહે છે. આ મામલામાં હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે 11 માર્ચે આદેશ આપ્યો હતો કે કોર્ટ માત્ર એક જ નિષ્કર્ષ પર આવી છે કે ભોજશાળા મંદિર-કમ-કમાલ મૌલાના મસ્જિદનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને અભ્યાસ કરવાની એએસઆઈની બંધારણીય અને કાનૂની જવાબદારી છે.

રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે

રાજા ભોજે બંધાવી હતી ભોજનશાળા

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારમાં આવેલી કમાલ મૌલાના મસ્જિદ વાસ્તવમાં મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે. તે સંસ્કૃતના અભ્યાસ માટે 1034 એડીમાં રાજા ભોજે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે આ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી કરતાં હાઇકોર્ટની ઇન્દોર બેંચે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">