Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન, લોકસભા માટે પ્રજાએ મૂડ બનાવી લીધોઃ PM મોદી

આવાનાર કેટલાક મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા પીએમ મોદીની, વર્ષ 2024માં મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. લોકસભા માટે આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો પૈકી સૌથી વધુ બેઠકો મધ્યપ્રદેશમાં આવેલ છે. મધ્ય પ્રદેશમાં આદિવાસીઓ માટે લોકસભાની કુલ 6 બેઠકો અનામત છે.

કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન, લોકસભા માટે પ્રજાએ મૂડ બનાવી લીધોઃ PM મોદી
Modis visit to Madhya Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 4:14 PM

રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આયોજિત જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઝાબુઆ ગુજરાત સાથે જેટલું જ જોડાયેલું છે એટલું જ મધ્ય પ્રદેશ સાથે પણ જોડાયેલું છે. મધ્યપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના દરેક ખૂણે મધ્યપ્રદેશ જેવો જ મિજાજ છે. આ પહેલા પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. ત્યારબાદ PMએ ઝાબુઆમાં રોડ શો પણ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, “થોડા સમય પહેલા મેં ઝાબુઆ, ખરગોન, ખંડવા, બરવાની, ધાર અને અલીરાજપુર સહિત સમગ્ર મધ્યપ્રદેશ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. “એટલા બધા વિકાસ કાર્યો એકસાથે થઈ રહ્યા છે તે દર્શાવે છે કે મધ્યપ્રદેશમાં નવી રચાયેલી ડબલ એન્જિન સરકાર બમણી ઝડપે કામ કરી રહી છે.” તેમણે વધુમાં કહ્યું, “વિકાસના આ મહા અભિયાનનો શ્રેય મધ્યપ્રદેશના લોકોને જાય છે. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.”

2024ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમારી વચ્ચે અહીં આવતા પહેલા, મેં જોયું કે મારી મુલાકાત વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. કેટલાક લોકો કહી રહ્યા છે કે મોદી મધ્યપ્રદેશના ઝાબુઆથી લોકસભાની ચૂંટણી લડાઈ શરૂ કરશે. હું કહેવા માંગુ છું કે મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા નથી. મોદી ભગવાનના રૂપમાં મધ્યપ્રદેશના લોકોનો આભાર માનવા સેવક બનીને આવ્યા છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

આગામી લોકસભા ચૂંટણીમાં NDAના 400 સીટો જીતવાના દાવા પર પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાના પરિણામોથી તમે પહેલા જ કહી દીધું છે કે લોકસભા માટે તમારો મૂડ કેવો રહેવાનો છે. તેથી, આ વખતે વિપક્ષના મોટા નેતાઓએ પહેલેથી જ કહેવાનું શરૂ કર્યું છે કે 2024 માં ભાજપ-એનડીએ 400ને પાર કરશે, ફરી એકવાર મોદી સરકાર બનશે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો અને 2024ની લોકસભાની ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે. કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન છે. કોંગ્રેસ પોતાના પાપના ભાર હેઠળ દબાઈ ગઈ છે. તે જેટલું બહાર નીકળવા મથી રહી છે એટલી જ અંદર ખુંપી રહી છે.

કોંગ્રેસના વલણને કારણે MP બિમાર રાજ્ય બન્યુંઃ PM મોદી

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશે છેલ્લા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ હતો અને બીજો કોંગ્રેસનો અંધકાર યુગ હતો. યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલું મધ્યપ્રદેશ ભાજપની સરકાર આવતા પહેલા દેશના સૌથી બીમાર રાજ્યોમાં ગણાતું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મધ્યપ્રદેશને બીમાર બનાવવા પાછળનું સૌથી મોટું કારણ કોંગ્રેસનું વલણ હતું. ગામડાઓ, ગરીબો અને આદિવાસી વિસ્તારો પ્રત્યે કોંગ્રેસનું દ્વેષપૂર્ણ વલણ આ માટે જવાબદાર છે. આ લોકોએ ક્યારેય આદિવાસી સમાજના વિકાસની ચિંતા કરી નથી કે તેના સન્માન વિશે વિચાર્યું નથી. તેમના માટે આદિવાસી લોકોનો મતલબ માત્ર થોડા મતો હતા. જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થતી ત્યારે તેઓ ગામડાં, ગરીબ અને પછાત લોકોને યાદ કરતા.

વર્ષ 2024માં મધ્ય પ્રદેશની આ પ્રથમ મુલાકાત

આગામી કેટલાક મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, વર્ષ 2024માં પીએમ મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. સમગ્ર દેશમાં આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવેલી લોકસભાની સૌથી વધુ બેઠકો મધ્યપ્રદેશમાં છે. મધ્ય પ્રદેશમાં આદિવાસીઓ માટે લોકસભાની 6 બેઠકો અનામત છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન એમપી ફૂડ સબસિડી સ્કીમ હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તા પણ આપશે. આ યોજના દ્વારા, ખાસ કરીને પછાત જાતિઓની મહિલાઓને પૌષ્ટિક ખોરાક આપવા માટે દર મહિને રૂ. 1,500 આપવામાં આવે છે. આ સાથે પીએમ મોદી પ્રધાનમંત્રી માલિકી યોજના હેઠળ 1.75 લાખ ‘અધિકાર અખિલેશ’ (જમીન અધિકારનો રેકોર્ડ)નું પણ વિતરણ કરશે.

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">