ગુજરાતના દિવસોને યાદ કરતાં PM Modiએ કહ્યું- કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે અત્યાચાર કર્યા, તે ભૂલી શકાય તેમ નથી
પીએમ મોદીએ કહ્યું, 'હું ગુજરાતમાં હતો, ત્યારે દિલ્હી સરકારે મારા પર કેવા અત્યાચાર કર્યા તેનો ઈતિહાસ સાક્ષી છે, મારી સાથે શું ન થયું, ગુજરાત સાથે શું ન થયું.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં (PM Modi speech in Rajya Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે ગુજરાતના (Gujarat) દિવસો યાદ કર્યા. તેણે કહ્યું કે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મારી સાથે થયેલા અત્યાચારને હું ભૂલી શકતો નથી. દિલ્હી સરકારે આ ગુનો કર્યો હતો. પરંતુ હું જાણતો હતો કે દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે. રાજ્યની પ્રગતિથી જ દેશની પ્રગતિ થશે. કોંગ્રેસે (Congress) ગુજરાત સાથે ભેદભાવ કર્યો.
કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પરિવારની સામે કંઈ વિચારતી નથી. કેટલાક લોકો કહે છે કે જો કોંગ્રેસ ન હોત તો શું થાત, આજે હું કહીશ કે શું થાત. મહાત્મા ગાંધીના મત મુજબ, જો કોંગ્રેસ ન હોત તો 1975નું કલંક ન હોત. 1975માં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. લોકશાહીમાં પરિવારવાદ સૌથી મોટો ખતરો છે.
કોંગ્રેસ પર તીખા પ્રહાર
જો કોંગ્રેસ ન હોત તો ઈમરજન્સીનું કલંક ન લાગત. જાતિવાદ અને પ્રાદેશિકવાદ વચ્ચેની ખાઈ એટલી ઊંડી ન હોત જેટલી આજે છે. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત. કાશ્મીરના પંડિતોને કાશ્મીર છોડવું ના પડતું. જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદુરમાં બાળવામાં ન આવી હોત. જો કોંગ્રેસ ન હોત તો લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે આટલી રાહ જોવી ન પડી હોત.
લતા મંગેશકરના નાના ભાઈનો પણ કર્યો ઉલ્લેખ
રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા લોકડાઉન દરમિયાન ખૂબ વિચાર-વિમર્શ અને થોડી હિંમત સાથે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગામડાના ખેડૂતોને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, પરિણામે, આપણા ખેડૂતોએ મહામારી દરમિયાન પણ બમ્પર ઉત્પાદન કર્યું હતું. લતા મંગેશકરના (Lata Mangeshkar) નાના ભાઈ હૃદયનાથ મંગેશકરને (Hridaynath Mangeshkar) ઓલ ઈન્ડિયા રેડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે રેડિયો પર વીર સાવરકરની (Veer Savarkar) કવિતા રજૂ કરી હતી જે બાદ તેમને આઠ દિવસમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
કોંગ્રેસે પાર્ટીનું નામ બદલી દેવું જોઈએ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને દેશથી પણ સમસ્યા છે. પીએમે કહ્યું કે જો આવું છે તો તમારી પાર્ટીનું નામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કેમ છે, જો કોઈ સમસ્યા હોય તો પાર્ટીનું નામ બદલીને ફેડરેશન ઓફ કોંગ્રેસ કરવું જોઈએ.
આ પણ વાંચો:
Hijab controversy : કર્ણાટકમાં 3 દિવસ માટે શાળા-કોલેજ બંધ, CM બોમાઈની જાહેરાત, કહ્યું- વિદ્યાર્થીઓ શાંતિ અને સૌહાર્દ જાળવે
આ પણ વાંચો: