અમૃત ભારત યોજના હેઠળ આ રેલવે સ્ટેશનોના થશે કાયાકલ્પ, આવી ગયું લિસ્ટ જુઓ તમારા વિસ્તારનું કયું સ્ટેશન છે?
દેશના 550થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે. જે માટે તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલવેના કાયાકલ્પ માટે એક વિશેષ યોજના શરૂ કરી છે જે અમૃત ભારત સ્ટેશન યોજના છે. આ યોજના હેઠળ દેશના 27 રાજ્યોના 300 જિલ્લામાં બનેલા 550થી વધુ રેલવે સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવશે.
મોદી સરકાર દ્વારા 41,000 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ડેવલોપમેન્ટની યોજનામાં એટેલે કે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ સ્ટેશનમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જે સ્ટેશનોને કાયાકલ્પ કરવાના છે તેમાં સૌથી વધુ સ્ટેશનો ઉત્તર પ્રદેશના છે.
માહિતી અનુસાર, આ યોજના માટે ઉત્તર પ્રદેશના 73 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય 56 સ્ટેશન મહારાષ્ટ્રના છે. આ યાદીમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. બિહાર અને મધ્ય પ્રદેશ બંનેમાં 33 સ્ટેશન છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં 21, ઝારખંડમાં 27, હરિયાણામાં 15, પંજાબ અને ઉત્તરાખંડમાં 3-3 સ્ટેશન છે. ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1-1 સ્ટેશન પણ ફરીથી બનાવવામાં આવશે.
સ્ટેશનોની યાદી આ મુજબ છે
ઉત્તર પ્રદેશ :
તુલસીપુર, શિકોહાબાદ જં., નિહાલગઢ, અમલા, આનંદ નગર જં., બાબતપુર, લખનૌ શહેર, બરેલી શહેર, પુખરાયન, મોહનલાલગંજ, ગોમતી નગર, કાનપુર પુલ બ્યા, ખોરાસન રોડ, બાંદા, બધની, બાલામૌ જં., મેરઠ નગર જં., મૌ જં., માણિકપુર જં., શ્રી કૃષ્ણ નગર, ઉંચાહર જં., માણકનગર, ચુનાર જં., ગઢમુક્તેશ્વર, ગોંડા જં., જૌનપુર શહેર, લલિતપુર જં., મલ્હાર, ચિત્રકૂટ ધામ કારવી, ખુર્જા જં., લખીમપુર, કાનપુર અનવરગંજ, ભટની, હૈદરગઢ, મૈલાની જં., અકબરપુર જં., મિર્ઝાપુર, ગોવિંદપુરી, ભરતકુંડ, સલેમપુર જં., મહોબા જં., પીલીભીત જં., કન્નૌજ, સ્વામી નારાયણ ચપિયા, સોનભદ્ર, મધુ, લા. ઇદગાહ આગ્રા જં., શિવપુર, ગૌરીગંજ, સિદ્ધાર્થનગર, વ્યાસનગર, કિનારા, ડાલીગંજ, કપ્તાનગંજ જં., સિઓહારા, બલરામપુર, ફિરોઝાબાદ, ઓરાઈ, લાલગંજ, ખલીલાબાદ, રામઘાટ હોલ્ટ, ગુરસાહાઈગંજ, ગાઝીપુર સિટી, ફાફામૌ જં., મુઝફ્ફર નગર, બુશહારા રોડ, બેલથર રોડ. રાજા કી મંડી, ચિલબીલા, કુંડા હરનામગંજ, બાદશાહપુર, ટાકિયા અને મૈનપુરી જં.
મહારાષ્ટ્ર: કુર્લા, મુંબ્રા, દિવા, વિદ્યાવિહાર, ભાયખલા, સેન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી, ઇટવારી, કેમ્પ્ટી, આમગાંવ, ભંડારા રોડ, શહાદ, ટિટવાલા, ઇગતપુરી, તુમસર રોડ, વડાલા રોડ, માટુંગા, વડસા, ચંદા ફોર્ટ. ગોંદિયા અને અન્ય.
ગુજરાતઃ ગુજરાતમાં 46 રેલવે સ્ટેશનો પુનઃવિકાસ કરવાના છે, જેમાં મુખ્ય અમદાવાદ, રાજકોટ, જામનગર છે.
પશ્ચિમ બંગાળ: પનાગઢ, જંગીપુર, ચંદનનગર, બાંકુરા, નૈહાટી અને દમદમ, બંદેલ, ખડગપુર જંક્શન, આદ્રા, પુરુલિયા.
આંધ્ર પ્રદેશ: અનંતપુર, બોબિલી જંક્શન, પાર્વતીપુરમ, શ્રી કાલહસ્તી.
બિહાર: બાંકા, સિમરી બખ્તિયારપુર, સુપૌલ, નવાદા, રક્સૌલ, મોતીપુર, લખીસરાઈ રફીગંજ, મૈરવા, પીરો, બિક્રમગંજ, લાભા, બરૌની, સિવાન, મુંગેર, થવે, સબૌર, અરરિયા, શિવનારાયણપુર, દૌરમ મધેપુરા, દેહરી ઓન સોને, ગુરારુ, કરહાગોલા રોડ, ચૌસા, લહેરિયા સરાઈ, જનકપુર રોડ, ચાકિયા, નબીનગર રોડ, ઘોરસાહન, સલમારી, એકમા અને શાહપુર પટોરી.
મધ્ય પ્રદેશ: ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ખંડવા, બીના, દાતિયા, શહડોલ, ઉમરિયા, અનુપપુર, બિજુરી, મંડલા કિલ્લો, બાલાઘાટ, નૈનપુર, છિંદવાડા અને સિવની, નાગદા, ખાચરોડ, રુપેટા.
તમિલનાડુ: ચેન્નાઈ બીચ, ચેન્નાઈ પાર્ક, સેન્ટ થોમસ માઉન્ટ, મમ્બાલમ, બીચ, પાર્ક, અંબત્તુર, ગિન્ડી, મમ્બાલમ, મેટ્ટુપલયમ, કોઈમ્બતુર નોર્થ, ઈરોડ, મોરાપુર, ડીંડીગુલ, તુતીકોરીન, તિરુચેન્દુર, મયલાદુથુરાઈ, કુમ્બકોનમ, વૃધ્ધચલમ.