AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની રેકી થતી હોવાનુ આવ્યુ સામે- Video

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ભૂસ્તર વિભાગના અધિકારીનીા રેકી થતી હોવાનુ સામે આવતા નીલમબાગ પોલીસ મથકમાં 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. માફિયાઓએ માહિતી મોકલવા વોટ્સએપના અલગ અલગ 6 જેટલા ગૃપ બનાવ્યા હતા.

Ajit Gadhavi
| Edited By: | Updated on: May 19, 2024 | 3:52 PM
Share

રાજ્યમાં ખુદ સરકારી અધિકારીઓની જ “જાસૂસી”નો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અધિકારીઓની “બાજ નજર”થી બચવા માફિયાઓ રોજ નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ભાવનગરમાંથી પણ કંઈક આવો જ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે.

ભાવનગરમાં છેલ્લાં ઘણાં સમયથી તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓની આ “લાલ આંખ”થી બચવા માફિયાઓ અધિકારીઓ પર જ “બાજ નજર” રાખી રહ્યા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગરના ખનીજ વિભાગના અધિકારીઓની ખનીજ માફિયાઓ દ્વારા “જાસૂસી” કરાતી હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

સરકારી અધિકારીઓની રેકી કરી વૉટ્સએપ ગ્રુપ દ્વારા તેની માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડનાર 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો 26 મેના રોજ સામે આવ્યો હતોચ જ્યારે ભૂસ્તર અધિકારી કોઈ કારણથી ઓફિસની બહાર આવ્યા અને કમ્પાઉન્ડમાં સિક્યોરિટી ગાર્ડ સાથે 3 શંકાસ્પદ શખ્સોને જોયા!

  • અધિકારીઓને આરોપીના મોબાઈલમાંથી આવી જાસૂસીના 6 જેટલાં વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે.
  • આ વોટ્સએપ ગ્રુપના સભ્યો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા.
  • નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સપેક્ટર તેમજ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી.
  • અધિકારીઓની તમામ હલચલ વિશે ગ્રુપમાં માહિતી આપી દેવામાં આવતી.
  • અધિકારીઓનું લોકેશન, ગાડીના નંબર અને ફોટોગ્રાફ, ગાડીમાં બેઠેલ કુલ અધિકારીઓની બાતમી પણ ગ્રુપમાં શેર કરવામાં આવતી.
  • ગાડી કયા રસ્તે આગળ વધી રહી છે, તેનું એક-એક અપડેટ વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવતું હતું.

સમગ્ર મામલે ખનીજ શાખાના અધિકારીઓ દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે બેને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સૌથી વધુ ગેરકાયદે ખનન શિહોર તાલુકામાં થાય છે. સૂત્રો પાસેથી મળથી માહિતી મુજબ આની જાણ સમગ્ર તંત્રને હોવા છતાં આ અંગે કડક કાર્યવાહી નથી કરાઈ રહી. તો બીજી તરફ ખનીજ માફિયાઓ દ્વારા જાસૂસી તો કરાઈ જ રહી છે. સાથે જે તેમની કેટલાંક સરકારી અધિકારીઓ અને ખુદ પોલીસકર્મીઓ સાથે સાંઠ-ગાંઠ હોવાના દાવાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે વધુ શું ખુલાસાઓ સામે આવે છે તે જોવુ રહ્યુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">