AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત 20 મિનિટમાં જ જઈ શકાશે, દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલની CM અને DCMએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું ટ્રાયલ કર્યુ. આ બ્રિજ વર્ષના અંત સુધીમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે.

Maharashtra: મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત 20 મિનિટમાં જ જઈ શકાશે, દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલની CM અને DCMએ લીધી મુલાકાત
Eknath shinde and Devendra Fadnavis
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 9:04 AM
Share

Mumbai: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ મુંબઈથી નવી મુંબઈને દરિયાઈ માર્ગે જોડવાનું કામ પૂર્ણ કર્યું છે. રાજ્યના બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવા માટે પાણી પર 16.5 કિલોમીટર લાંબો પુલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ વર્ષના અંત સુધીમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે. બુધવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું ટ્રાયલ કર્યુ.

આ પણ વાંચો: Karnataka: કર્ણાટક કેબિનેટનું કાલે વિસ્તરણ થશે, 24 મંત્રીઓ લેશે શપથ, CM સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, MTHL પૂર્ણ થવાથી મુંબઈને નવી મુંબઈ પછી ત્રીજું મુંબઈ બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. નવી મુંબઈની નજીકનું કેમ્પસ ઝડપી વિકાસનું સાક્ષી બનશે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાનના કહેવા પ્રમાણે જમીનના અભાવે મુંબઈના વિકાસમાં જે અડચણો આવી રહી છે તે હવે દૂર થશે. તેમણે કહ્યું કે સરકારની ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો માર્ગ પણ MTHLમાંથી પસાર થવાનો છે.

શિવડી-ન્હાસેવા ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (MTHL) હેઠળ કુલ 22 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવી રહ્યો છે. દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ 16.5 કિમી પાણી પર બનાવવામાં આવી રહ્યો છે જ્યારે 5.5 કિમી જમીન પર બનાવવામાં આવી રહ્યો છે. સૌથી લાંબો બ્રિજ તૈયાર કરવા માટે દેશમાં પહેલીવાર ઘણી નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

100 વર્ષમાં પ્રથમ વખત, ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક (OSD) ટેક્નોલોજીને સમુદ્રના એક છેડાથી બીજા છેડે મુસાફરોને લઈ જવા માટે અપનાવવામાં આવી છે. MTHL પર દેશમાં પ્રથમ વખત ઓપન રોડ ટોલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેથી વાહનો રોકાયા વિના ચાલી શકે.

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ

MTHLનું નિર્માણ કાર્ય 94 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. બ્રિજનું સ્ટ્રક્ચર પાણીથી જમીન સુધી તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર પ્રોજેક્ટનું કામ ત્રણ પેકેજમાં કરવામાં આવી રહ્યું છે. હવે માત્ર રોડ તૈયાર કરવા, સમગ્ર રૂટ પર માર્કિંગ સહિતનું નાનું કામ બાકી છે. MMRDA અનુસાર બાકીનું કામ ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા ફેરફાર

ફડણવીસના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે MTHLના બાંધકામને ઝડપી બનાવવા માટે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા અન્ય દેશોમાંથી લોન મળતી હતી અને પછી કેન્દ્ર સરકાર તરફથી પ્રોજેક્ટ પર કામ કરતી સંસ્થાને નાણાં આપવામાં આવતા હતા. પરંતુ MTHL માટે કેન્દ્રએ તેના નિયમોમાં ફેરફાર કરીને લોન સીધી MMRDAને આપી દીધી છે.

30 વર્ષનું કામ થોડા મહિનામાં જ

ફડણવીસના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 વર્ષથી MTHLની માત્ર ચર્ચા થઈ રહી હતી. પરંતુ અમારી સરકારે પર્યાવરણની સંપૂર્ણ કાળજી લીધી. જે કામ 30 વર્ષમાં ન થઈ શક્યું તે થોડા મહિનામાં થઈ ગયું.

પ્રોજેક્ટ લાભો

  • મુંબઈથી નવી મુંબઈનું અંતર 20 મિનિટમાં કાપી શકાશે.
  • રોજના 1 લાખ વાહનો સરળતાથી પસાર થશે
  • – મુંબઈ પર ટ્રાફિકનું ભારણ ઘટશે
  • – મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ ગોવા હાઈવે સુધી પહોંચ સરળ
  • નવી મુંબઈના આર્થિક વિકાસને વેગ મળશે
  • નવી મુંબઈ-થાણેથી સિગ્નલ-મુક્ત માર્ગ ઇસ્ટર્ન ફ્રીવે સાથે જોડાયેલો છે
  • શિવડી-વરલી કનેક્ટર સાથે જોડાતાની સાથે જ ઉપનગરોમાં સિંગલ-ફ્રી પેસેજ
  • ટૂંકા અંતરથી સમય અને ઇંધણની બચત થશે

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">