મુંબઈગરાઓનું સપનું સાકાર થઈ ગયું છે. સમુદ્ર પર બનેલા. દેશના સૌથી મોટા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને “અટલ સેતુ”ના રૂપમાં મુંબઈને મળી ગઈ છે. નવી “લાઈફલાઈન” અટલ સેતુની વિશેષતાની વાત કરવામાં આવે તો અટલ સેતુ 6 લેનનો “સી લિંક” છે. તેમાં 1 ઈમરજન્સી લેન પણ બનાવવામાં આવી છે.
સમગ્ર બ્રિજની લંબાઈ. 21.8 કિલોમીટર છે. જેમાંથી જમીન પર 5.5 કિલોમીટરનો બ્રિજ તૈયાર કરાયો છે. જ્યારે 16.5 કિલોમીટર બ્રિજનું નિર્માણ સમુદ્રની ઉપર થયું છે. છેલ્લાં 50 વર્ષથી ‘સમુદ્ર પર સેતુ’નો આ પ્રોજેક્ટ સરકારી ફાઈલો નીચે દબાયેલો હતો. પરંતુ PM મોદીના વિઝનને લીધે આખરે આ સપના હકીકત બન્યુ છે.
મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. જેને કાપવામાં દોઢથી 2 કલાકનો સમય લાગતો હોય છે. પણ, હવે “અટલ સેતુ”ના લીધે. આ અંતર ઘટીને માત્ર 22 કિલોમીટર થઈ જશે અને માત્ર 20 મિનિટમાં જ યાત્રીઓ મુંબઈથી નવી મુંબઈ પહોંચી શકશે. એટલું જ નહીં. તેનાથી મુંબઈથી પુણા એક્સપ્રેસવે અને ગોવા હાઈવે વચ્ચેનું અંતર પણ ઘટી જશે.
“અટલ સેતુ” એ ટેક્નોલોજીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેની વિશેષતા એ છે કે દુનિયાના સૌથી મોટા માલવાહક જહાજ પણ આરામથી તેની નીચેથી પસાર થઈ શકશે. અને કોઈ જ અવરોધ વગર. પુલ ઉપર ટ્રાફિક ચાલતો રહેશે. ખાસ તો આ બ્રિજ.”AI” ટેક્નોલોજીથી સજ્જ છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો