Surat: પશુઓને બેક્ટેરિયાથી ફેલાતા ગળસૂંઢાના રોગથી બચાવવા માટે રસીકરણનો પ્રારંભ

Surat : કોરોના મહામારીથી બચવા માટે આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે. રસીકરણ કેન્દ્રો પર લોકો રસી માટે લાઈન લગાવીને બેઠા છે. એવામાં ચોમાસા દરમિયાન પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

Surat: પશુઓને બેક્ટેરિયાથી ફેલાતા ગળસૂંઢાના રોગથી બચાવવા માટે રસીકરણનો પ્રારંભ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 03, 2021 | 5:16 PM

Surat : કોરોના મહામારીથી બચવા માટે આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે. રસીકરણ કેન્દ્રો પર લોકો રસી માટે લાઈન લગાવીને બેઠા છે. એવામાં ચોમાસા દરમિયાન પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે આ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે સુમુલ ડેરીના (Sumul Dairy) સહયોગથી પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 5,17,200 પશુઓને અત્યારથી જ રસીનું સુરક્ષાકવચ આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

પશુમાં ચોમાસા દરમિયાન ગળસૂંઢાનો રોગ માઝા મૂકે છે. ત્યારે આ રોગથી પશુઓને રક્ષણ આપવા માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં 9 તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમગ્ર જિલ્લામાં ગાય ભેંસની સંખ્યા 5,17,200 જેટલી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જિલ્લામાં 5,17,200 પશુઓને સુમુલ ડેરીના સહયોગથી રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને દિવાળીની આસપાસ પશુઓને ખરવાસા મોવાસાની રસી આપીને તે બીમારીથી પણ રક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આમ તો ખેતી પછી પશુપાલનનો વ્યવસાય સૌથી મોટો ઉદ્યોગ છે. તેવામાં ગળસૂંઢાનો રોગ પશુઓમાં ફેલાય છે અને આ જીવાણુથી પશુઓના મોત થયાના કિસ્સા પણ બને છે. તેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેની પુરતી માહિતી ન હોવાના કારણે પશુઓના રોગની સારવાર સમયસર મળતી નથી.

તેના કારણે પશુપાલકોને જાનમાલના નુકશાનથી બચાવવા આ રસી આપવામાં આવી રહી છે. માનવને રસી આપવામાં આવી રહી છે ત્યારે પશુઓને પણ રસી આપવાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. જિલ્લામાં રસીના 1.5 લાખ ડોઝ આવી ગયા છે અને તમામ તાલુકા માટે રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધારે ડોઝનો લાભ પણ આવશે તેવું તેમણે ઉમેર્યું છે.

ચોમાસા દરમિયાન અને વાદળછાયા વાતાવરણને કારણે પશુઓમાં બેક્ટેરિયાને કારણે આ રોગ વકરે છે. આ રોગ ફેફસાનો છે. જેમાં પશુને તાવ શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં સોજાના લક્ષણો જોવા મળે છે. આ બીમારીની સારવાર ખૂબ ખર્ચાળ અને મુશ્કેલ હોય છે. જેથી રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. રસી મુક્યા પછી પશુઓમાં આ બીમારી થતી નથી.

આ પણ વાંચો: Bilimora-waghai train: ગાયકવાડી સમયની 100 વર્ષ જુની બીલીમોરા- વઘઇ વચ્ચેની ટ્રેન નવા રૂપ-રંગમાં દોડતી જોવા મળશે

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">