Bilimora-waghai train: ગાયકવાડી સમયની 100 વર્ષ જુની બીલીમોરા- વઘઇ વચ્ચેની ટ્રેન નવા રૂપ-રંગમાં દોડતી જોવા મળશે

Bilimora-waghai train : ગાયકવાડી સમયથી ચાલતી નવસારી બીલીમોરા- વઘઇ ( Bilimora-waghai train) રૂટની નેરોગેજ ટ્રેન હવે નવા રંગરૂપ સાથે ફરી દોડતી જોવા મળશે.

Bilimora-waghai train: ગાયકવાડી સમયની 100 વર્ષ જુની બીલીમોરા- વઘઇ વચ્ચેની ટ્રેન નવા રૂપ-રંગમાં દોડતી જોવા મળશે
બીલીમોરા- વઘઇ નેરોગેજ ટ્રેન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 03, 2021 | 4:46 PM

Bilimora-waghai train : ગાયકવાડી સમયથી ચાલતી નવસારી બીલીમોરા- વઘઇ ( Bilimora-waghai train) રૂટની નેરોગેજ ટ્રેન હવે નવા રંગરૂપ સાથે ફરી દોડતી જોવા મળશે. દેશમાં થોડા બચેલા નેરોગેજ માર્ગમાંથી આ એક માર્ગ પર આ ટ્રેન ફરી જોવા મળશે. આ ટ્રેન એક સદી જૂની છે. અને આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

104 વર્ષ કરતા પણ વધુ સમયથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1914માં આ ટ્રેન શરૂ કરી હતી. તે સમયથી આ ટ્રેન બીલીમોરાથી વઘઇની વચ્ચે દોડે છે. 64 કિમિના લાંબા રૂટ પર દોડતી આ ટ્રેનમાં હવે એ.સી.કોચ જોડવામાં આવ્યા છે. જેની ટ્રાયલ રન પણ લઈ લેવામાં આવી છે. અને હવે આ ટ્રેન ફરી લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.

બાપુની ગાડી તરીકે ઓળખાતી આ ટ્રેનની છુક છુક હવે ડાંગના જંગલોમાં પણ સંભળાશે. બાપુની ગાડી એટલે મહાત્મા ગાંધી નહીં પણ સૌરાષ્ટ્રના બાપુ માટે આ શબ્દ વપરાયો છે. ટ્રેનમાં આરામથી મુસાફરી કરી શકાતી હોવાથી તેને બાપુની ગાડી કહેવાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પહેલા આ ટ્રેનને ચલાવવું આર્થિક રીતે પોષાતું ન હોવાથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. પણ હવે હજીય લોકોની માંગ જોતા આ ટ્રેન ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

આ ટ્રેન ગાયકવાડ સરકારે બ્રિટિશ સમયમાં શરૂ કરાવી હતી. જે ડાંગમાંથી લાકડા લઈ જતી હતી અને ત્યાંના આદિવાસીઓના ધંધા રોજગાર માટે આશીર્વાદ સમાન હતી. તે સમયે અન્ય કોઈ વાહન નહોતા ત્યારે આ ટ્રેન જ મુસાફરી માટેનું એકમાત્ર વાહન હતું.

આ નેરોગેજ ટ્રેન બીલીમોરાથી વઘઇ ત્રણ કલાકમાં પહોંચાડે છે. ટ્રેનનું ભાડું પણ નજીવું જ વસુલવામાં આવે છે. ટ્રેનની ટીકીટ ટ્રેનનો ગાર્ડ ટ્રેનની અંદર જ આપે છે. અને સ્ટોપેજ આવે તો ગાર્ડ જ ઉતરીને ફાટક હટાવે છે. કોલકાતામાં ટ્રામમાં બેસીએ તેની યાદ આ ટ્રેનમાં બેસીને આવી જાય છે.

ટ્રેનમાં બેસીને કુદરતી સૌંદર્યનો લ્હાવો લઈ શકાય છે. જેથી હવે પ્રવાસીઓને આકર્ષવા ટ્રેનમાં 3 એસી કોચ જોડવામાં આવ્યા છે. જો મુસાફરો મળશે તો હજી એસી કોચ વધારવામાં આવશે.આમ સમયના પાટા પર હવે ફરી ચાલતા ફરતા ઇતિહાસ વાગોળવાનો અવસર અહીંના પ્રવાસીઓ માણી શકશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">