AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ

આ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન સુરત એરપોર્ટ પર બનતી બર્ડહીટની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો 55 પાનાનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટીને સુપરત કર્યો છે.

Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 2:25 PM
Share

સુરત એરપોર્ટ પર બર્ડહીટની (Bird Hit )ઘટનાઓ વધી જતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તામિલનાડુના કોઇમ્બતુરની સલીમઅલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી ઇન્સ્ટિટ્યુટને બર્ડ હીટની ઘટનાઓ કયાં કારણોસર બને છે અને કયાં પગલાંઓ લેવાથી આ ઘટનાઓ અટકી શકે છે, તે અંગે એક તલસ્પર્શી રિપોર્ટ બનાવવા જવાબદારી સોંપવામાં આવી હતી.

આ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન સુરત એરપોર્ટ પર બનતી બર્ડહીટની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો 55 પાનાનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટીને સુપરત કર્યો છે, તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટ ૫૨ 88 જેટલી બર્ડહીટની ઘટનાઓ બની છે. જેની ફરિયાદ લેન્ડીંગ અને ટેકઓફ વખતે પાયલટ દ્વારા કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યુટે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર હોવાનું તારણ નિકળ્યું છે.

સુરત એ૨પોર્ટ પરિસ૨ની નજીક વેટલેન્ડ્સમાં જીંગા તળાવો, નજીકના વિસ્તારમાં બર્ડ સેન્ચુરી, જળાશયો અને ભીની જમીનનું પ્રમાણ વધુ હોવાથી ખોરાકની શોધમાં આવતા પક્ષીઓ વિમાનો સાથે અથડાતાં હોવાની વિગતો બહાર આવી છે. ઇન્સ્ટિટ્યુટના અહેવાલમાં બીજી ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે કે એરપોર્ટના એરફીલ્ડ વિસ્તારમાં 96 અને 10 કિલોમીટ૨ ત્રિજયાના વિસ્તારમાં 154 પ્રજાતિના જાનવરોની હાજરી નોંધાઇ છે.

એરફિલ્ડ વિસ્તાર અને એરપોર્ટની નજીકના વિસ્તારોમાં આવેલા ઊંચા ઝાડી – ઝાંખરામાં જાનવરોએ રહેઠાણ બનાવ્યું છે. ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, એરફિલ્ડ વિસ્તારમાં બિનઉપયોગી વાહનો અને સુરક્ષા માટે બાઉન્ડ્રીમાં બનાવવામાં આવેલા બાંકોરા ડસ્ટબિન સહિતની સામગ્રીમાં પાણી ભરાઇ રહેતુ હોવાથી પક્ષીઓ ઉપરાંત સાપ, નોળિયા, જંગલી બિલાડી એરફિલ્ડમાં આવી જતી હોય છે. એરફિલ્ડ અને એરપોર્ટની ફરતેના વિસ્તારમાં ઊંચા ઘાસ, ઝાડી-ઝાંખરાને કારણે પશુ-પક્ષીઓએ રહેઠાણ બનાવી દીધું છે.

નજીકમાં આવેલા જીંગા તળાવો, પક્ષીઓના ખોરાક માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થયા છે. તેનો વિકલ્પ એરપોર્ટ ઓથોરિટી અને સરકારે શોધવો પડશે. બફેલો હીટ પછી 2 શિયાળ પણ વિમાનની અડફેટે કચડાઇ ગયા હતાં. સુરત એરપોર્ટ પર બનેલી બફેલો હીટની ઘટના પછી પણ રનવે પર વિમાન સાથે શિયાળ અથડાઇને કચડાઇ જવાની ઘટના બની હોવાનું એરપોર્ટ ઓર્થોરિટીએ આરટીઆઇ અરજીના જવાબમાં ખુલાસો કર્યો હતો.

બર્ડહીટની ઘટનાઓ અટકાવવા સલીમઅલી ઇન્સ્ટિટ્યુટે આ ઉપાયો સૂચવ્યા

–એરફિલ્ડ વિસ્તારમાં ઘાસની કાપણી નિયમિત થવી જોઇએ. –20 સે.મી.થી ઊંચા ઘાસ ન હોવા જોઇએ . –એરપોર્ટ પરિસરની દિવાલને અડીને આવેલા જીંગા તળાવો સ્થળાંતર કરવા જોઇએ. –રનવે વિસ્તારની નજીક અને કમ્પાઉન્ડ વોલ પાસેના ઝાડી – ઝાંખરા દૂર કરવા જોઇએ. –એરપોર્ટમાં ચાલતા પ્રોજેકટની નજીક વેસ્ટેડમાલ પડી રહે છે અને ખાડાઓ ઊભા થયા છે, તેનું પુરાણ કરી વેસ્ટમાલ દૂર થવો જોઇએ. –88 ઘટનાઓમાંથી મોટાભાગની ઘટનાઓ વરસાદ અને ઠંડીની વચ્ચે સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન બની છે. તે જોતાં એરટ્રાફિક કન્ટ્રોલની ટીમને બર્ડ મોનિટરિંગની તાલિમ આપવી જોઇએ. –એરપોર્ટની દિવાલોમાં પડેલા બાંકોરામાંથી જંગલી બિલાડી, સાપ અને નોળિયા આવી જતા હોય છે. તે જોતા આ બાંકોરાનું પુરાણ કરવું જોઈએ.

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">