પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી પોલીસે પાર પાડ્યુ મોટુ ઓપરેશન- VIDEO

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બોરીચક ગામે પોલીસે મોટુ ઓપરેશન પાર પાડતા ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને પ્રાણઘાતક હથિયારો સાથે ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ અટકાયત કરી છે.

Follow Us:
| Updated on: Oct 18, 2024 | 4:02 PM

કુખ્યાત ગેંગ લીડર અને અનેક ગુનામાં સંડોવાયેલા પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરાની પોલીસે અટકાયત કરી છે. બોરીચક ગામે પોલીસે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આરોપીઓને ઝડપવા ગયેલી પોલીસને મોટો દલ્લો પણ હાથ લાગ્યો છે. ભીમા દુલાની વાડીમાંથી પોલીસને 50 લાખ રૂપિયા રોકડા અને ઘાતક હથિયારો મળ્યા છે. રોકડ અને હથિયારો જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભીમા દુલા ઓડેદરા સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડા પાડી મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા પોલીસે લાખોની રોકડ રકમ અને જીવલેણ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતુ.

ભીમા દુલા ઓડેદરા પોરબંદરનો નામચીન શખ્સ, પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુન્હા

ગેંગ લીડર ભીમા દુલા એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005માં ગોળી ધરબી થઈ હત્યા કરી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગકામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ એવુ હતુ કે આદિત્યાણા ગામે પાઈપલાઈનનું કામ ચાલતુ હતુ, આ કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનની મશીનરી આ લાઈનના કામમાં ચાલુ હતી. ત્યારે ઈસ્માઈલ ટીટીવી ઓફિસ નજીક આ કામ નબળુ થતુ હોવાથી તેણે કામ બંધ કરાવ્યુ હતુ. તેન વિવાદ થતા તે જ સમયે ભીમા દુલા અને તેના માણસોએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
Silver Benefits : ચાંદી પહેરવાના છે અનેક સ્વાસ્થ્ય લાભ, જાણી લો
શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?

ડબલ મર્ડર સહિત અર્જુન મોઢવાડિયાના ટેકેદારની પણ કરી હતી હત્યા

જો કે હત્યા કર્યા બાદ ભીમા દુલા નાસી ગયો હતો. આ બાદ વર્ષ 2005માં ભીમા દુલાએ અર્જુન મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળુ મોઢવાડિયાની 2005માં ગોળી ધરી દઈ હત્યા કરી હતી. જે બાદ તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ ભીમા દુલાએ આત્મસમર્પણ કર્યુ હતુ અને વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. આદિત્યાણા ગામના પિતા-પુત્રની હત્યાનો કેસ પહેલા પોરબંદર કોર્ટમાં ચાલ્યો હતો. જેમા પોરબંદર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જે બાદ ઈસ્માઈલ ટીટીના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ હાઈકોર્ટે ભીમા દુલા અને તેના બનેવી છગન કરશન કારાવદરાને આજીવન કેદની સજા ફટકારી. ભીમા દુલા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે હત્યા, મારામારી, ખનિજચોરી, હથિયાર એક્ટ, ટાડા, જમીન પચાવી પાડવા સહિત લોકોને શારીરિક માનસિક ત્રાસ આપવા સહિત કૂલ 48 ગુન્હા નોંધાયેલા છે.

Input Credit- Hitesh Thakrar- Porbandar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">