ભાજપ અને PM મોદીના સમર્થનમાં આવ્યા વિદેશી ભારતીયો, રવિવારે ભવ્ય કાર રેલીનું આયોજન

લોકસભા ચૂંટણી યોજાઈ રહી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો(NRG-NRI) આવ્યા છે. જેઓ 28 એપ્રિલ રવિવારે અમદાવાદથી સુરત સુધી કાર રેલીમાં જોડાશે.

ભાજપ અને PM મોદીના સમર્થનમાં આવ્યા વિદેશી ભારતીયો, રવિવારે ભવ્ય કાર રેલીનું આયોજન
PM Modi
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Apr 26, 2024 | 5:19 PM

લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો (NRG-NRI) આવ્યા છે. જેઓ 28 એપ્રિલ રવિવારે અમદાવાદથી સુરત સુધી કાર રેલીમાં જોડાશે. વિદેશથી આવેલા અને મૂળ ગુજરાત, મધ્યપ્રદેશ,પંજાબ ઉપરાંત મહારાષ્ટ્ર ના લોકો સૌથી વધુ કાર રેલીમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે.

વિદેશી ભારતીયો પ્રચાર કરશે

મહત્વનું છે કે આ રેલી રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે જે મણિનગર-લાંભા-નડિયાદ-વડોદરા-ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ રેલીનું સ્વાગત અને સમાપન કરશે.આ સાથે જ વિદેશમાં વસતા તમામ મૂળ ભારતીય સાથે સંવાદ કરી સાથે ભોજન પણ લેશે.

મહત્વનું છે કે વિદેશમાં વસતા ભારતીયનું માનવું છે કે પાછલા 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશમાં વસતા ભારતીયોને ખૂબ ગૌરવ મળ્યું છે. તમામ જગ્યા ઉપર તેમની નોંધ લેવાય છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી સમયે આ તમામ વિદેશી ભારતીય પોતાના ખર્ચે સ્વયંભુ જ આ રેલી નું આયોજન કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે વિદેશોમાં પણ આ પ્રકારે કાર રેલીનું આયોજન થયું હતું જેમાં અમેરિકા-ઓસ્ટ્રેલિયા-UK સહિત અનેક દેશોમાં મોટી સંખ્યામાં કાર રેલી યોજાઇ હતી અને અનેક ભારતીય આ કાર રેલીમાં જોડાયા હતા.

વડા પ્રધાન મોદી પ્રચાર માટે આવશે ગુજરાત

ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે.

લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">