AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદાનું પૂર ઓસર્યાંને 10 દિવસ થયા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ નહીં, આગામી સિઝન માટે પણ ચિંતાનો માહોલ

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદાના પૂરે ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. પૂરનાં કારણે ખેતી નાશ પામી છે તો ધોવાણે ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે, ત્યારે સરકારી સહાય માટે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની હાલત એ હદે બદતર બની છે કે અંકલેશ્વર કથાના ગામોમાં પૂર ઓસર્યાંને 10 દિવસ થવા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો […]

નર્મદાનું પૂર ઓસર્યાંને 10 દિવસ થયા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ નહીં, આગામી સિઝન માટે પણ ચિંતાનો માહોલ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:19 PM
Share

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદાના પૂરે ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. પૂરનાં કારણે ખેતી નાશ પામી છે તો ધોવાણે ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે, ત્યારે સરકારી સહાય માટે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની હાલત એ હદે બદતર બની છે કે અંકલેશ્વર કથાના ગામોમાં પૂર ઓસર્યાંને 10 દિવસ થવા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, ત્યારે વાવેતર નહીં થઈ શકવાથી હવેની સિઝન પણ ફેઈલ જવાનો ભય ઉભો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાંથી ત્રણ દિવસ 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.

Narmada nu poor osraya ne 10 divas thaya chata khetaro mathi pani no nikal nahi aagami season mate pan chinta no mahol

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નર્મદા ખતરાના નિશાનને ઓળંગતા નદીકિનારે આવેલ ગામોમાં પાણી ફરી વળતા ઉભા પાક અને જમીનોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. પુરના પાણી ઓસર્યાંને એક સપ્તાહ કરતા વધુ સમય થઈ ગયો છે, છતાં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં હજુ પણ ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી. અંકલેશ્વર તાલુકાના જુના તરીયા ગામ ખાતે ખેડૂતોની 200 એકરથી વધુ જમીન ધોવાણમાં ગઈ છે અને પુરના પાણી ફરી વળતા મોટાપાયે પાકને નુકસાન થવા પામ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Narmada nu poor osraya ne 10 divas thaya chata khetaro mathi pani no nikal nahi aagami season mate pan chinta no mahol

ખેડૂતો લીલા દુકાળનો અનુભવ કરી રહ્યા છે. સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ખેતીના 33 ટકાથી વધુ નુકશાન સહન કરનાર ખેડૂતોને સરકાર 6800 રૂપિયા પ્રતિ હેકટર સહાય આપશે . નુકશાન સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ધીમી સરકારી કામગીરી સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને સહાય મળે તે માટે પૂરતા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">