28 જુલાઈના મહત્વના સમાચાર : આવતીકાલ 29મી જુલાઈએ જાહેર થશે ધો. 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ
Gujarat Live Updates : આજે 28 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
રાજ્યના મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી કબુતરબાજો સક્રિય થયા છે. ગત રોજ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. મેક્સિકો બોર્ડર પરથી 150 થી વધુ ઉત્તર ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને ભારત ડીપોર્ટ કરવામાં આવશે. રાજ્યના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. આ તરફરાષ્ટ્રપતિએ 9 રાજ્યોમાં રાજ્યપાલોની નિમણુક કરી છે. ગુજરાતના પૂર્વ IAS અધિકારી કૈલાશનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ બન્યા છે. ઓપી માથુરને સિક્કિમ તો સંતોષ ગંગવારને ઝારખંડની જવાબદારી સોંપાઈ છે.
દિલ્હીના IAS કોચિંગ સેન્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ. બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. 2 લોકોની અટકાયત કરી છે. વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યુ કે રાજ્યો લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. પૂણે NIVની ટીમે પાલનપુરમાં સર્વે હાથ ધર્યો. આ તરફ અંજારમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયાની પુષ્ટિ કરાઈ છે.
LIVE NEWS & UPDATES
-
સુરત શહેરમાં ખાનગી બેંકના એજન્ટોની ઉઘરાણીથી પરેશાન યુવકે કર્યો આપઘાત
સુરત શહેરમાં ખાનગી બેંકના એજન્ટો સતત ઉઘરાણીથી પરેશાન યુવકે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. 23 વર્ષય કુંજલ રાઠોડે તાપી નદીના કેબલ બ્રિજ પરથી કૂદી આપઘાત કર્યો હતો. મૃતક યુવકે બેંક એજન્ટો લોનના હપ્તા માટે અસહ્ય ત્રાસ અપાતા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
-
આવતીકાલ 29મી જુલાઈએ જાહેર થશે ધો. 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ
જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિક્ષાનો બેઠક ક્રમાંક નાખીને જોઈ શકશે. વોટ્સએપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
-
-
જૂનાગઢના જે. કે. સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ
જૂનાગઢના જે. કે. સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો સુરતમાં દાખલ થયો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે જે કે સ્વામી અને તેમના મળતિયાઓએ. મંદિર અને ગુરુકુળ બનાવવાના નામે રૂપિયા એક કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર હિમાંશુ રાઉલજીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાજપ નેતાનો ઠગ પુત્ર રાજસ્થાન ભગવા જતા ઝડપાયો
અમદાવાદમાં કાર ભાડે આપવાની લાલચ આપીને તે કાર ગીરવે મુકી રૂપિયા લઈ લેનાર ભાજપના નેતાનો પુત્ર ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો છે. બજરંગદળના પૂર્વ કાર્યકર અને ભાજપના નેતાનો પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, લોકસભાની ચૂંટણી સમયે કાર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાડે આપવાની લાલચ આપીને 76 કાર બારોબાર ગીરવે મૂકી દીધી હતી. કાર ભાડે આપનારા પાસેથી કાર દીઠ 25થી 30 હજાર લઈને બે માસ ભાડુ આપીને પછી ભાડાની રકમ આપતો નહતો. આ અંગે નોધાયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની રાજસ્થાન ભાગી છુટે તે પહેલા જ ધરપકડ કરી છે.
-
PM મોદીએ મનુને આપ્યા અભિનંદન, કહ્યું- આ ઐતિહાસિક
PM નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક મેડલ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો પ્રથમ મેડલ જીતવા બદલ મનુ ભાકરને અભિનંદન. બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન.
A historic medal!
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) July 28, 2024
-
-
તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકામાં વહીવટદારોનું રાજ બંધ કરી ચૂંટણી કરોઃ કોંગ્રેસ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચિમકી ઉચ્ચારી છે કે, જો રાજ્ય સરકાર ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની જાહેરાત નહી કરે, તોં કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે. આજે ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચા.તો અને નગરપાલિકામાં ચૂંટાયેલ પાંખને બદલે વહીવટદારોને બસેડી દેવામાં આવ્યા છે. સરકારને પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ ગમતા નથી એટલે વહીવટદારો કાઢવા માંગતી નથી તેમ કહીને અમિત ચાવડાએ કહ્યું કે, ઝવેરી કમિશન રિપોર્ટ પણ આવી ગયો છે. જે વિધાનસભામાં કાયદો પણ પસાર કરી લીધો છે, તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કેમ રાહ જોવામાં આવી રહી છે.
-
પંચમહાલમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર બે બોગસ ડોક્ટરોને SOG ટીમે ઝડપ્યા
પંચમહાલમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર બે બોગસ ડોક્ટરો ને SOG ટીમે ઝડપી પાડ્યા છે. ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામ અને મોરવા હડફનાં નવા ગામમાંથી બોગસ ડોકટર ઝડપાયા છે. ઝડપાયેલા બોગસ ડોક્ટર મૂળ બાંગ્લાદેશના અનુપમ વિશ્વા અને દિપંકર નિર્મલ સરદર પાસેથી મોટા પ્રમાણમાં એલોપેથીક દવાનાં જથ્થા સહિત અન્ય સાધન સામગ્રી કબજે કરવામાં આવી છે. SOG ટીમ નાં હાથે ઝડપાયેલા ડીગ્રી વગર પ્રેક્ટિસ કરનારા બંને બોગસ ડોક્ટરો સામે મોરવા હડફ અને ઘોઘંબા પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
ઘેડ પંથકની સમસ્યા અંગે કોંગ્રેસના આક્ષેપ પર ઋષિકેશ પટેલનો પલટવાર
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ઘેડ પંથકની સમસ્યાાને ભૂલી જઇ નરેન્દ્ર મોદી સરકારે બિહાર અને ઓરિસ્સાને મદદ કરી છે. તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋુષિકેશ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી, નર્મદા ડેમમાં દરવાજા નાખવાના હતા, ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો.
-
ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં રાજ્યમાં 130 કેસ સામે આવ્યા
ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 130 કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાની ઝપેટમાં આવતા કુલ 52 બાળકોના મોત થયા છે. આ વાયરસને કારણે સૌથી વધુ પંચમહાલમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે 40 બાળ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 38 બાળકોહજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ચાંદીપુરાના કારણે મૃત્યુ થયા એવું નથી, પરંતુ એન્સેફિલિટિસના કારણે મૃત્યુ થયા તેવું વધારે છે ! તંત્ર દ્વારા 5.60 લાખ ઘરોમાં મેલેથિયોન પાઉડરનો છંટકાવ કરાયો છે.
-
અમદાવાદ: વિદ્યાર્થિનીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ
અમદાવાદ: વિદ્યાર્થિનીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. સ્કૂલ રિક્ષામાં બાળકીઓને જોખમી રીતે બેસાડવામાં આવી છે. રિક્ષા ચાલકો જાણે ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વીડિયો વાયરલ કરી સવાલ ઉઠાવ્યા છે. કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની ? ત્રણ દરવાજાથી એલિસબ્રિજ તરફ રિક્ષા જતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
-
નવસારીમાં પૂરના પાણી ઓસરતા આરોગ્એય વિભાગે વિવિધ વિસ્તારોમાં હાથ ધર્યો સ્વાસ્થ્ય ચકાસણી સર્વે
નવસારીમાં પૂરના પાણી ઉતર્યા બાદ સફાઈએ વહીવટી તંત્ર માટે પડકારરૂપ બની જતી હોય છે. નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઉતરી ગયા છે પરંતુ હવે નગરપાલિકા વિસ્તારના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો ન ફાટી નીકળે એના ભાગરૂપે આરોગ્ય વિભાગે વિવિધ ટીમો બનાવી છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘરોમાં ક્લોરીનેશન અને બીમાર લોકોના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઇ છે. સ્વચ્છતાની સાથે આરોગ્ય મહત્વનું પાસું હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ઘરોમાં તપાસ શરૂ કરી દેવાઇ છે.
-
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઇંચ વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઈંચ વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગોમાં 5થી 6 ઇંચ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની આગાહી વચ્ચે વડોદરા, આણંદમાં 5થી 6 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. પંચમહાલના ભાગોમાં 5 ઇંચ વરસાદ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 3થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા છે જ્યારે વાવ, દાંતીવાડા, દિયોદર, થરાદમાં વરસાદી ઝાપટા રહેશે. પાટડી, દસાડા, વિરમગામમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. 3થી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ વખતે ચોમાસુ નબળું રહેતા વાદળો ન બનતા હોવાનુ પણ અંબાલાલે જણાવ્યુ છે.
-
સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઇને પાઠવ્યા અભિનંદન
સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઇને ઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં પ્રથમ જીત બદત શુભકામના પાઠવી. “ભારતની પહેલા દિવસે 2024 ની ઓલમ્પિકમાં અદભુત જીત થઈ”. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે હરમીતે ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપણા સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત છે. ગુજરાત અને ભારતના સહુ વડીલ મિત્રોના હરમીતને આશિર્વાદ છે. હરમીત સ્પોર્ટ્સ સ્પિરિટથી અને ખૂબ મજબુતાઈથી રમત રમશે.
-
સુરેન્દ્રનગરના 5 તાલુકામાં ચાંદીપુરા વાયરસના નોંધાયા 5 કેસ
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે આખા રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગરના 5 તાલુકામાં 5 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. ત્યારે, આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકારની ટીમો દ્વારા સર્વે અને તપાસ હાથ ધરાઇ છે. ત્યારે, ગ્રામીણ વિસ્તારોમાંથી સેન્ડ ફ્લાય માખીના નમૂના પણ મળી આવ્યા છે. આવા નમૂના કાચા મકાનોમાંથી મળી આવ્યા છે. જો તકેદારી રાખવામાં નહીં આવે તો, આગામી સમયમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ વધુ ફેલાય તેવી શક્યતા છે. મહત્વનું છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ બાળકોને ભોગ બનાવે છે. ત્યારે, તંત્રએ વિવિધ વિસ્તારોમાં જઇને ફોગિંગની કામગીરી પણ હાથ ધરી છે અને લોકોને વાયરસ અંગે માર્ગદર્શન અપાઇ રહ્યું છે.
-
વડોદરા: વરસાદી માહોલ વચ્ચે રહેણાંક વિસ્તારમાં આવ્યો મગર
વડોદરા: વરસાદી માહોલ વચ્ચે રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણી સાથે મગર આવી ચડ્યો. 7 ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં 10 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. ફાયર વિભાગની મદદથી ખાડામાંથી પાણી બહાર કાઢવામાં આવ્યુ. પ્રાણી જીવદયાની ટીમ અને ફાયરની ટીમે મગરનું રેસક્યુ કર્યુ. ભારે જહેમત બાદ મગરનું રેસક્યુ કરીને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા મગરને લઈ જવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
-
સુરત: જુનાગઢના જે.કે.સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ
સુરત: જુનાગઢના જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે. વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે ઠગાઈનો આરોપ લાગ્યો છે. જે કે સ્વામી સહિત લોકોએ 1 કરોડ પડાવ્યાનો આરોપ લાગ્યો છે. રિઝામાં સ્વામીનારાયણ મંદિર અને ગુરુકૂળ બનાવવાના નામે ઠગાઈ કર્યાનો દાવો કરાયો છે. 700 વિઘા જમીન ખરીદી કરવાના નામે ઠગાઈ કરી હોવાનો પણ દાવો કરાયો છે. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
-
વડોદરાઃ ફરી વિશ્વામિત્રી નદીનું પાણી છોડાતા આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા
વડોદરાઃ ફરી વિશ્વામિત્રી નદીનું પાણી છોડાતા આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીની જળસપાટી ઘટીને 20 ફૂટ થતાં પાણી છોડવામાં આવ્યુ છે. વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટીને વટાવે તેવી શક્યતા સેવાઈ રહી છે. નદીની સપાટી 28 ફુટ થઈ શકે છે.
-
વડોદરાના રસ્તાઓ થયા બેહાલ, જ્યા જુઓ ત્યાં ખાડા જ ખાડા
ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ-બેહાલ થયા છે. રસ્તા પર ખાડા જ ખાડા છે. વાહનચાલકો કમરતોડ રસ્તા પર ચાલવા મજબૂર છે. ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તાઓ પર ખાડા પણ દેખાતા ન હોય. ત્યારે વાહનચાલકો ભયના ઓથાર નીચે રસ્તો પસાર કરે છે. વિપક્ષનો આક્ષેપ છે કે પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ યોગ્ય કામગીરી ન થતા અનેક જગ્યાએ રોડ ધોવાયા છે. બીજી તરફ મનપાના સત્તાધીશો સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. વડોદરાના ડેપ્યુટી મેયરે કહ્યું કે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા છે. રસ્તાના સમારકામ માટે આદેશ આપી દેવાયા છે. ટૂંક સમયમાં રસ્તાઓનું સમારકામ થશે.
-
પંચમહાલ: કાલોલની કરાડ નદી ફરી એક વખત થઈ પ્રદૂષિત
પંચમહાલ: કાલોલની કરાડ નદી ફરી એક વખત પ્રદૂષિત થઈ છે. કરાડ નદીમાં કેમિકલ છોડાતા ફીણના ગોટેગોટા દેખાયા છે. હાલોલ GIDCમાં આવેલા એકમો દ્વારા પાણીને પ્રદૂષિત કરવામાં આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પ્રદૂષિત પાણીથી સ્થાનિકોમાં અનેક રોગ ફેલાવવાનો ભીતિ સેવાઈ રહી છે. નદીને પ્રદૂષિત થતી અટકાવવા લોકોએ અનેક રજૂઆત કરી છે. રજૂઆત બાદ પણ GPCBએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ થયા છે.
-
અમેરિકામાં ઘૂસણખોરીની ઘટના બાદ કબૂતરબાજોના હવાતિયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 150 થી વધુ ગુજરાતી ઝડરાયા છે. સુરક્ષા એજન્સીએ 150થી વધુ ઉત્તર ગુજરાતીની ધરપકડ કરી છે. મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, ઝડપાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની છે. ઝડપાયેલા તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરવામાં આવશે. હાલ ઉત્તર ગુજરાતના કન્સલટન્ટ એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે. ઘૂસણખોરી બહાર આવ્યા બાદ કબૂતરબાજો થાઈલેન્ડ તરફ ફરાર થઈ ગયા છે. મોબાઈલ સ્વીચ ઓફ કરી થાઈલેન્ડ રફુચક્કર થયા છે.
-
મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં હવામાન વિભાગે આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં આજે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની મહત્વની આગાહી કરી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યત છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સિસ્ટમ ગુજરાત તરફ 1 થી 2 દિવસમાં આવશે. 28, 29 અને 30 જૂલાઈએ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
Published On - Jul 28,2024 8:47 AM