25 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન વચ્ચે ટક્કર થતા બચી
આજે 25 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી પકડાયો
અમદાવાદના Kalupur Railway Station પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી અસલી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો હતો અને તેમને અપશબ્દો બોલતો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરોપી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફરની ધમકીઓ પણ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરવાના આરોપસર પોલીસે પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
-
જાપાનમાં પણ અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા
જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. અહેવાલો મુજબ પ્રથમ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયા બાદ થોડા જ સમયમાં 4.3ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. ઉપરાછાપરી આવેલા બે ભૂકંપના આંચકાઓથી લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને Aomori Prefecture વિસ્તારમાં ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં અનેક ઇમારતો અને માળખાંને નુકસાન પહોંચ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
-
-
વેનેઝુએલાઃ વિનાશક ભૂંકપને લઇને સૌથી મોટા સમાચાર
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ મૃત્યુઆંકને લઈને ચોંકાવનારા અંદાજ સામે આવ્યા છે અને 10 હજારથી લઈને એક લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના કારણે અનેક બહુમાળી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાથી હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ સેવાઈ રહી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાનને કારણે મૃત્યુઆંક હજુ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
આજે 25 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jun 25,2026 7:37 AM
