AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

ચોમાસું જલ્દીથી હવે ભારતમાં આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking News  : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 8:41 AM
Share

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો સહિત દેશભરના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.દેશમાં ચોમાસું હવે જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી લઈ અરુણાચલ પ્રદેશમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે. યુપી,એમપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, રાજધાની દિલ્હી અને નજીકના NCRમાં હાલમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ છે. જોકે, અહીં પણ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ચોમાસું 2-3 દિવસમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે 19 રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 60 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફુંકાશે.

આ 19 રાજ્યોમાં એલર્ટ

  1. દિલ્હી-એનસીઆર
  2. ઉત્તર પ્રદેશ
  3. બિહાર
  4. મહારાષ્ટ્ર
  5. ગુજરાત
  6. ઉત્તરાખંડ
  7. હિમાચલ પ્રદેશ
  8. છત્તીસગઢ
  9. ઝારખંડ
  10. પંજાબ
  11. પશ્ચિમ બંગાળ
  12. ઓડિશા
  13. આસામ
  14. અરુણાચલ પ્રદેશ
  15. સિક્કિમ
  16. આંધ્ર પ્રદેશ
  17. કર્ણાટક
  18. તમિલનાડુ
  19. કેરળ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લઈ સુરત પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકોને રાહત મળી શકે છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન વીજળીની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન અને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.

અલ નીનો ઘટનાથી ચોમાસા પર અસર પડી રહી છે. ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 76 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના ખરીફ પાક પર અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસાના આગમનમાં હજુ 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">