AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

09 જુલાઈના મહત્વના સમાચાર : ખેડૂતો સાવધાન ! સોલાર કંપનીના નામે ભાડે લેવાની લાલચ આપી 15 ખેડૂતના વાહનો લઈને ગેંગ ફરાર થઈ ગઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2026 | 11:28 AM
Share

Gujarat Live Updates : આજ 09 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

09 જુલાઈના મહત્વના સમાચાર : ખેડૂતો સાવધાન ! સોલાર કંપનીના નામે ભાડે લેવાની લાલચ આપી 15 ખેડૂતના વાહનો લઈને ગેંગ ફરાર થઈ ગઈ

LIVE NEWS & UPDATES

  • 09 Jul 2026 11:27 AM (IST)

    ખેડૂતો સાવધાન ! સોલાર કંપનીના નામે ભાડે લેવાની લાલચ આપી 15 ખેડૂતના વાહનો લઈને ગેંગ ફરાર થઈ ગઈ

    દાહોદના ઝાલોદમાં વાહન ભાડે રાખવાના બહાને ખેડૂતો સાથે મોટું કૌભાંડ સામે આવ્યું છે. સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના વાહનો પચાવી પાડી ગેંગ ફરાર થઈ ગઈ છે. 13 ટ્રેક્ટર, 1 તુફાન અને 1બોલેરો મળી કુલ 15 વાહનો લઈને ભેજાબાજો થઈ ગયા ફરાર. 1 કરોડથી વધુની કિંમતના વાહનો લઈને ભેજાબાજો ફરાર થયા છે. આરોપીઓએ માસિક ભાડાની લાલચ આપી ખેડૂતોને જાળમાં ફસાવ્યા હતા. બે મહિના સુધી ભાડું ન ચૂકવી આરોપીઓએ વિશ્વાસઘાત કર્યો. માલપુર જઈ તપાસ કરતા સોલાર કંપની મળી નહિ આવતા કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યું. આરોપીઓ મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર. ભોગ બનનાર ખેડૂતોએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

  • 09 Jul 2026 11:23 AM (IST)

    હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં રાજસ્થાનથી સારવાર માટે આવેલ બાળદર્દીનું ચાંદીપુરમથી મોત

    ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે માથુ ઊંચક્યુ. પંચમહાલમાં 2 બાદ હિંમતનગરમાં 6 વર્ષનાં બાળકનું મોત થયુ છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાઈરસથી છ વર્ષના બાળકનું મોત થયુ. ચાર દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર માટે આવેલા બાળ દર્દીનુ મોત. અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં ચાંદિપુરા વાઈરસના પાંચ શંકાસ્પદ કેસ દાખલ હોવાનું સામે આવ્યું છે. એક બાળ દર્દીનુ મોત, 2 ના રીપોર્ટ નેગેટીવ તો અન્ય 2 ના રીપોર્ટની જોવાઈ રહી છે રાહ. હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને અપાઈ રહી છે સારવાર. આરોગ્ય વિભાગ બાળક નાં મોતને લઈને તંત્ર દોડતું થયુ.

  • 09 Jul 2026 11:20 AM (IST)

    અમદાવાદની નવી RTO કચેરીનું લોકાર્પણ, સોમવારથી AI ટ્રેક પર લેવાશે ટેસ્ટ

    અમદાવાદની નવી RTO કચેરીનું નાયબ મુખ્યમંત્રી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી આરટીઓ કચેરીમાં આગામી સોમવારથી AI ટ્રેક પર લેવાશે ટેસ્ટ. 3 માળ બિલ્ડિંગ 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી નવી આરટીઓ કચેરી. સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી થતા અરજદારે દરેક બારી પર જવું નહીં પડે. કચેરીની એન્ટ્રી પર AC વેઇટિંગ હોલ તૈયાર કરાયો છે. AI બેઝ ટ્રેકિંગ સિસ્ટમ, CCTV થી સજ્જ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિક ફ્રેન્ડલી કચેરીથી નાગરિકોનું કામ સરળ થશે.

  • 09 Jul 2026 11:02 AM (IST)

    સુરત શહેરમાં ખાડી પૂર ઓસર્યા, ઠેર ઠેર કાદવના થર જોવા મળ્યા

    સુરત શહેરમાં ખાડી પૂર ઓસર્યા. પાણી નીકળતા અનેક સોસાયટીઓમાં ગંદકી જોવા મળી. સોસાયટીમાં રહીશોનો આરોપ કે કોઈ સાફ-સફાઈ કરવા માટે હજુ આવ્યા નથી. સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન. લોકોના ઘરની તમામ વસ્તુઓ અનાજ કઠોળ, લાકડાની વસ્તુઓ બગડી ગયા. તમામ પાર્ટીના લોકો વોટ માટે સોસાયટીમાં આવે છે પણ આવી પરિસ્થિતિમાં કોઈ આવતું નથી. અનેક નાના પરિવાર માટે મોટી આફત આવી બની. ખાડી આજુબાજુ ના વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ ખરાબ કીચડ ના થર જોવા મળ્યા.

આજે 09 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.રાતીમાં સમાચાર, આજના ગુજરાતી સમાચાર

Published On - Jul 09,2026 11:00 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">