07 માર્ચના મહત્વના સમાચાર : કતરમાં હવાઈ પરિવહન આંશિક રીતે ફરી શરૂ કરવાની જાહેરાત
આજે 07 માર્ચના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
કચ્છ: ભુજના આકાશમાં રહસ્યમયી લાઈટ દેખાઈ
કચ્છ: ભુજના આકાશમાં રહસ્યમયી લાઈટ દેખાઈ. અચાનક આકાશી લાઈટ દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયુ. લોકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. થોડા સમય માટે લાઈટો ગાયબ દેખાઈ થઈ.
-
અમદાવાદ: T20 વર્લ્ડ કપને પગલે VVIPનો ધસારો,લક્ઝરી હોટલોના 6 હજાર મોંઘાદાટ રૂમ બુક થયા
અમદાવાદમાં યોજાનારી ICC Men’s T20 World Cupની ફાઈનલ મેચને લઈને શહેરમાં VVIP મહેમાનોનો ધસારો જોવા મળી રહ્યો છે. શહેરની લક્ઝરી હોટલોના આશરે 6 હજાર જેટલા મોંઘાદાટ રૂમ પહેલેથી જ બુક થઈ ગયા છે, જ્યારે અમદાવાદ આવતી 23 જેટલી ફ્લાઈટ પણ વધારાના ભાડા સાથે સંપૂર્ણ ફૂલ થઈ ગઈ છે. વિમાનના ભાડા પણ વધીને લગભગ 55 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. આવતીકાલે અનેક VVIP મહેમાનો અમદાવાદ પહોંચવાના છે, જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ સહિત આશરે 80 જેટલા પ્રાઈવેટ જેટ શહેરમાં આવવાના હોવાનું જણાવાયું છે. ફાઈનલ મેચના સમાપન સમારંભમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં Falguni Pathak, Ricky Martin અને Sukhbir પર્ફોર્મન્સ આપવાના છે. ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા બંદોબસ્ત પણ વધુ કડક કરવામાં આવ્યો છે.
-
-
વડોદરાઃ આજવા રોડ પાસે આવેલી રોયલ સ્કૂલની વિદ્યાર્થીની સાથે છેડતી
વડોદરા શહેરના આજવા રોડ નજીક આવેલી Royal Schoolમાં અભ્યાસ કરતી આઠમા ધોરણની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ શાળામાં જ અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીના વાલીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીનીએ આ બાબતે પોતાના વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકોને જાણ કરી હતી. ઘટના બહાર આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ છેડતી કરનાર વ્યક્તિને સ્કૂલની બહાર પકડીને માર માર્યો હતો. વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીનીનો પીછો કરી રહ્યો હતો, જેને કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
-
આણંદ : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયુ છે. હૃદય રોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આણંદમાં સારવાર દરમિયાન અવસાન થયું. આણંદ જિલ્લા સહિત ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર ફેલાઇ છે. ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય હતા.
-
સતત આઠમા દિવસે ઇઝરાયલ-અમેરિકાના ઇરાન પર હુમલા
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને હવે આઠમો દિવસ લાગી ગયો છે, જેમાં Israel અને United States દ્વારા Iran પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓના કારણે ઇરાનમાં ભારે નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 1332 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે 4 હજારથી વધુ ઘરો તબાહ થઈ ગયા છે. હુમલાઓ દરમિયાન ઇરાનના 300થી વધુ મિસાઇલ લોન્ચરોનો પણ ખાતમો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઇરાનના સાઇપા ઔદ્યોગિક વિસ્તારમાં ભારે પ્રહાર થયા છે, જ્યારે શિરાજ વિસ્તારમાં ઇઝરાયલ દ્વારા એરસ્ટ્રાઇક કરીને ત્યાં આવેલા આર્મી બેઝને નિશાન બનાવાયું હતું. આ સતત હુમલાઓને કારણે સમગ્ર મિડલ ઇસ્ટમાં તણાવ અને ભયનો માહોલ સર્જાયો છે.
-
-
ભારત અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર વચ્ચે હવાઈ મુસાફરી પ્રભાવિત
નાગરિક ઉડ્ડયન મંત્રાલય પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે ભારત અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર વચ્ચે હવાઈ મુસાફરીને અસર કરી રહ્યું છે. મુસાફરોની સલામતી અને સરળ ફ્લાઇટ કામગીરી સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જરૂરી ઓપરેશનલ ગોઠવણો કરી રહી છે. 5 માર્ચ, 2026 ના રોજ પેસેન્જર ટ્રાફિક ડેટા અનુસાર, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત કુલ 40 ફ્લાઇટ્સ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાંથી ભારતમાં આવી હતી, જેમાં 7,205 મુસાફરો હતા. આનાથી કુલ મુસાફરોનું આગમન 14,992 થયું છે. ભારતીય એરલાઇન્સ 6 માર્ચે 51 ફ્લાઇટ્સ ચલાવવાની યોજના ધરાવે છે, જે ઓપરેશનલ શક્યતા અને પ્રવર્તમાન પરિસ્થિતિઓને આધીન છે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય
The Ministry of Civil Aviation is closely monitoring the evolving situation in the West Asia affecting air travel between India and the West Asia region. Airlines are undertaking necessary operational adjustments in view of the prevailing conditions to ensure passenger safety and… pic.twitter.com/BgGN4Okejk
— ANI (@ANI) March 6, 2026
-
કતરમાં હવાઈ પરિવહન આંશિક રીતે ફરી શરૂ કરવાની જાહેરાત
કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ટ્વીટ કર્યું, “કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (QCAA), કતાર સશસ્ત્ર દળો અને રાજ્યના સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સંકલનમાં, મર્યાદિત કાર્યકારી ક્ષમતા સાથે નિયુક્ત કટોકટી માર્ગો દ્વારા કતાર રાજ્યમાં હવાઈ પરિવહન આંશિક રીતે ફરી શરૂ કરવાની જાહેરાત કરે છે. આ તબક્કામાં પ્રદેશની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આવશ્યક હવાઈ સેવાઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, હવાઈ કાર્ગો ફ્લાઇટ્સના સંચાલન ઉપરાંત, મર્યાદિત સંખ્યામાં સુનિશ્ચિત મુસાફરોને બહાર કાઢવાની ફ્લાઇટ્સનું સંચાલન શામેલ છે.”
-
આજે 07 માર્ચના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 07,2026 7:30 AM