ભાવનગરમાં રૂપાલાના વિરોધ વચ્ચે ચુવાળિયા કોળી સમાજનું યોજાયુ સંમેલન, તળપદા સમાજ સામે ઉમેદવાર ઉભો રાખવા કરાઈ હાકલ

સુરેન્દ્રનગરમાં ચુવાળિયા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો વિરોધ થતા હવે આ આગ ભાવનગર પહોંચી છે અને ભાવનગરના ચુવાળિયા કોળી સમાજે સંમેલન યોજી તળપદા ઉમેદવારનો વિરોધ કરવા માટે પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવવાની હાંકલ કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2024 | 9:44 PM

લોકસભાની ચૂંટણી માથે છે અને ભાજપમાં એક પછી એક વિવાદો સામે આવતા જાય છે. એક બેઠકની વિરોધની આગ બીજી બેઠક સુધી પણ પહોંચી છે. એક તરફ ભાજપે દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે તો બીજી તરફ જાતિના સમીકરણના કારણે કેટલીક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને ભાજપે ટિકિટ આપી છે. જેનો તળપદા સમાજનો લોકો વિરોધ કરી રહ્યા છે. હવે આ સુરેન્દ્રનગરના વિવાદની અસર ભાવનગર સુધી પહોંચી છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાનો વિરોધ થતા હવે ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજ સક્રિય થયો છે. શિહોરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું અને તેમા સમાજના આગેવાનોએ હાકલ કરી કે તેઓ પણ તળપદા સમાજ સામે ચૂંટણી લડશે.

નિમુબેન બાંભણિયા સામે ચુવાળિયા સમાજનો ઉમેદવારને ચૂંટણી લડાવવા હાકલ

ચુવાળિયા કોળી સમાજે શિહોર ખાતે બેઠકમાં એલાન કર્યું કે સુરેન્દ્રનગરમાં જેવી રીતે ચુવાળિયા સમાજના ઉમેદવાર સામે તળપદા સમાજના લોકો પોતાનો ઉમેદવાર ઉતારવા વિચારી રહ્યા છે.તેમ હવે ચુવાળિયા કોળી સમાજ પણ ભાવનગરમાં પોતાનો ઉમેદવાર ઉતારશે. તળપદા સમાજમાંથી આવતા ભાજપના નીમુ બાંભણિયા સામે ચુવાળિયા સમાજ પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવશે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ અહીં કોળી ઉમેદવારને ઉતાર્યા છે. એવામાં કોળી મતોનું વિભાજન થતા ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે..

ભાવનગરનું જાતિગત ગણિત

ભાવનગર બેઠકના જાતિ ગણિત પર નજર કરીએ તો ભાવનગરમાં સૌથી વધુ કોળી મતદારો છે. કુલ 6 લાખ કોળી મતદારો આ બેઠક પર નોંધાયેલા છે. જ્યારે સવા ત્રણ લાખ પાટીદાર મતદારો છે. ક્ષત્રિય મતદારોની સંખ્યા અઢી લાખ કરતા વધુ છે. ઉપરાંત ચુવાળિયા કોળી સમાજના 2 લાખ જેટલા મતદારો છે. જ્યારે બ્રાહ્મણ સમાજના 2 લાખ જેટલા મતદારો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાવનગરની બેઠક ભાજપનો ગઢ મનાઈ છે. સતત 7 ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર જીતે છે. પરંતુ આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કેમકે આ બેઠક એક તરફ કોળી સમાજની નારાજગી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની. પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ભાવનગર બેઠક પર અઢી લાખ ક્ષત્રિય મતદારો છે. એવી સ્થિતિમાં રૂપાલા સામેની નારાજગી શાંત નહીં થાય તો ભાવનગર બેઠક પર ભાજપને ફટકો પડી શકે છે.જાતિવાદના ગણિત અને વિરોધના વંટોળમાં ફસાયેલી ભાજપ ભાવનગર બેઠક મોટા માર્જિનથી જીતવા માટે કેવી રણનીતિ અપનાવે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસની પહેલ, હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને કર્યુ હેલ્મેટનું વિતરણ, વાલીઓને જાગૃત કરવા શરૂ કરી ઝુંબેશ- જુઓ તસવીરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">