AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના હજારો પરિવારોનું ભવિષ્ય આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના હાથમાં

મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાનાં 251 બહેનોને આપવામાં આવતા આ નિમણૂક પત્રો એ કેવળ નોકરી માટે નહિ પણ આ સેવાપત્રો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આંગણવાડીમા આવતા બાળકો કેટલાય ઘરોનું ભવિષ્ય છે .

રાજ્યના હજારો પરિવારોનું ભવિષ્ય આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના હાથમાં
Anganwadi workers
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 02, 2022 | 2:54 PM
Share

બાળકો (Children)  લાગણી અને માંગણી સાથે સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી આંગણવાડીના શિરે છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં યોજાયેલ એક કાર્યક્રમમાં 251 આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્ર એનાયત કરવામા આવ્યા હતા. મંત્રીઋષિકેશ પટેલે આ કાર્યક્રમના માધ્યમથી અમદાવાદ જિલ્લાની મહિલાઓ અને બાળકોને આરોગયપ્રદ રાખવા અને કુપોષણને ડામવા પંખ (Providing Pads as perAdolescent Girl’s need with Knowledge of Health) અને વચન (Vital Actions for Child Health and Nutrition)ની નવતર પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ બાળકના સ્વાસ્થ્ય અને પોષણ માટે મહત્વપૂર્ણ યોજનાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતની 24 જેટલી પૂરક યોજનાઓ સહાયક બની ઘર – ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે જે ખરેખર સરાહનીય છે. જિલ્લાનાં 251 બહેનોને આપવામાં આવતા આ નિમણૂક પત્રો એ કેવળ નોકરી માટે નહિ પણ આ સેવાપત્રો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આંગણવાડીમા આવતા બાળકો કેટલાય ઘરોનું ભવિષ્ય છે . આ બાળકો પર હેત વરસાવવાનું મહત્વનું કાર્ય બહેનોએ કરવાનું છે. બહેનોના હ્રદયની અંદર માતૃત્વનો ભાવ કુદરતે આપેલો છે તેથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભૂમિકામાં આવતા બહેનો અન્યના બાળકોને પોતાનુ બાળક સમજીને મા જેવો જ અનુભવ કરાવીને તેનુ જતન કરે તે માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003-04 માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. જે માટે અલગથી બજેટ ફાળવણીની પણ શરૂઆત કરવામાં આવી. આ વિભાગે મહિલાઓ,બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે અનેક યોજનાઓ થકી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો ધ્યેય હાંસલ કર્યો.

મંત્રીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગામમાં 11 થી 15 વર્ષની વયજૂથની કિશોરીઓને શારિરીક ફેરફારો અંગે પૂરી સમજણ આપી માનસિક રીતે સજ્જ કરવા તથા રક્તસ્ત્રાવ દરમ્યાન સ્વચ્છતા અંગે જાગૃકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. આંગણવાડીમાં આવતા બાળકોના પરિવારને મળીને તેઓના પરિવાર માટે પ્રધાનમંત્રી ‘આયુષ્યમાન ભારત યોજના’ હેઠળ કાર્ડ મળે તેવું આયોજન કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનીલભાઇ ધામેલિયા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને મહિલા બાળ વિકાસના સંયુકત ઉપક્રમે બહેનોના સ્વ વિકાસ માટે કાર્ય કરવામાં આવે છે. જેનાથી જિલ્લામાં કુપોષણનો દર ઘટશે અને એ માટે તમામ તાલુકાઓની શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓનો સર્વે કરવામાં આવશે. અને જાગૃતિ અંગે સમજણ આપવામાં આવશે. કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ સાથે અમદાવાદ જિલ્લા પંચાયત ૨૪ જેટલી સહાયકીય યોજનાઓ જાહેર કરીને સમગ્ર રાજયમાં અગ્રેસર છે.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">