કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર, અમદાવાદની આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું, જાણો ઘટના

પોલીસ સ્ટેશનમાં સરકારી મુદ્દામાલના રૂપિયા અંગત કામ માટે ઉપયોગ કરીને લાખો રૂપિયાની ઉચાપતની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી હતી. વાત એવી હતી કે,  કેન્સરની બીમારીએ એક પોલીસ કર્મચારીને ગુનેગાર બનાવ્યો હોવાની આ ઘટના હતા.

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર, અમદાવાદની આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું, જાણો ઘટના
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 05, 2024 | 8:26 PM

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી કે ઉચાપતને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ અમદાવાદનાં એક પોલીસ સ્ટેશન માંથી જ લાખો રૂપિયાની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઉચાપત કરનાર કાયદાનો રક્ષક પોલીસ કર્મચારી જ છે. આ ધટના સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.

આ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજવત ASI જયેન્દ્રસિંહ પરમારે જુદા જુદા ગુનાઓનાં સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણા 53.65 લાખની ઉચાપત કરી છે. એક વર્ષ પહેલાં આ પોલીસ કર્મચારીની બદલી થતાં નવા ક્રાઇમ રાઈટર ફરજ પર હાજર થયા હતા.

જુદા જુદા કેસની રોકડ મુદ્દામાલ હતા

તેમણે મુદ્દામાલને લઈને તપાસ કરતા વર્ષ 2016 થી 2023 સુધીના જુદા જુદા કેસની રોકડ મુદ્દામાલ હિસાબ નહી હોવાનું સામે આવ્યું હતું અને હિસાબને લઈને તપાસ કરતા પોલીસકર્મી જયેન્દ્રસિંહનો ભાંડો ફૂટ્યો હતો. જેથી સાબરમતી પોલીસમાં પોલીસકર્મી જયેન્દ્રસિંહનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આરોપી કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં હતો

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રસિંહ કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં રહેતા હતો. જેથી પોતાની બીમારીનાં ઈલાજ માટે તેણે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કેસના જેવા કે પ્રોહોબિશન, જુગાર, ઘરફોડ ચોરી જેવા ગુનાના મુદ્દામાલની નાણાકીય રોકડ ક્રાઇમ ટેબલની તિજોરીના લોકર માંથી મેળવી લીધા હતા. આ નાણાં કોર્ટની અંદર જમાં કરવાના હતા અને ગુનાનો મુદ્દામાલ ફરિયાદી છોડાવી શકે છે.

મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી

પરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો અને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્રસિંહ પરમારને મુદ્દામાલ પૈસા જમાં કરવાની સૂચના આપી હતી આ દરમિયાન મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

નવેમ્બર 2023 માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશન થી વિશેષ શાખા થઈ હતી

ઉચાપત કરનાર પોલીસકર્મી ASI જયેન્દ્રસિંહ વર્ષ 1990 થી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. વર્ષ 2016 માં સાબરમતી પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજાવતો હતો. નવેમ્બર 2023 માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશન થી વિશેષ શાખા થઈ હતી.

આ સમયે છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારથી સિક લિવ પર હતો. હાલ સાબરમતી પોલીસે પોલીસકર્મીની ધરપકડ કરી છે. તેણે ઉચાપત કરેલી રોકડ રકમ શું કર્યુ જેને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">