સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર, ફોટો આવ્યો સામે

સલમાન ખાનના ઘર પર હુમલાનો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ એ જ ત્રણ લોકો છે, જેમણે સ્થાનિક સ્તરે શૂટરોને મદદ કરી હતી. ઘટના બાદ સલમાનના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર, ફોટો આવ્યો સામે
Salman Khan house shooting case
Follow Us:
| Updated on: Apr 15, 2024 | 8:30 AM

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગના કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય લોકલ સપોર્ટર હતા અને તેમણે શૂટરોની મદદ કરી હતી.

બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી

સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી. જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ફાયરિંગ બાદ હુમલાખોરો ક્યાં ગયા?

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી છે. સાંતાક્રુઝ સ્ટેશન અને પછી ત્યાંથી બહાર આવીને ઓટો પકડતાના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

શકમંદોની તસવીર આવી સામે

સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી.

પોલીસ પણ આ મામલે એક્ટિવ દેખાઈ હતી અને અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ઝડપભેર તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે બંને શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને એક શકમંદની ઓળખ પણ થઈ હતી.

ઘણા લોકો સલમાનને મળ્યા

ફાયરિંગની ઘટના બાદ ઘણા લોકો સલમાન ખાનની ખબર પૂછવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમાં રાજકારણી બાબા સિદ્દીકી, MNS ચીફ રાજ ઠાકરે, સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, તેનો ભત્રીજો અરહાન ખાન અને સલમાનના નજીકના મિત્ર રાહુલ કનાલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા ટોપ અધિકારીઓ પણ સલમાનના ઘરે પહોંચ્યા હતા.

એક શંકાસ્પદની થઈ છે ઓળખ

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને બે હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. હુમલાખોરો પૈકી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ જણાવવામાં આવી રહ્યું છે. વિશાલ ઉર્ફે કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. થોડા મહિના પહેલા વિશાલે પોતે જ ગુરુગ્રામના ભંગારના વેપારી સચિનને ​​રોહતકના ઢાબા પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે વિશાલ વિદેશમાં બેસી ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

ઇનપુટ: જિતેન્દ્ર શર્મા

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">