AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી

રોહન કહે છે કે તેણે બે ગાય સાથે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું. તે પછી ધીરે ધીરે તે ગાયોની સંખ્યા વધારતો રહ્યો. જેમ જેમ દૂધની માગ વધી, તે જ રીતે તે ગાયોની સંખ્યામાં વધારો કરતો રહ્યો.

YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી
ગૌપાલન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 2:41 PM
Share

પશુપાલન અને તેમાં પણ ખાસ કરીને ગૌપાલન આજે નફાકારક વ્યવસાય બની ગયો છે. મોટી કંપનીઓમાં વધારે પગાર મેળવતા યુવાનો પણ તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને કારકિર્દી તરીકે અપનાવી રહ્યા છે. ઝારખંડના ધનબાદ જિલ્લાના ઝરિયાનો એક યુવક ગૌપાલન કરી રહ્યો છે. આ યુવક અભ્યાસની સાથે ગૌપાલન કરી અને સારી કમાણી પણ કરી રહ્યો છે.

વર્ષ 2020 માં શરૂઆત કરી

યુવાન દ્વારા શરૂ કરાયેલા આ ફાર્મનું નામ આર.કે. ડેરી ફાર્મ છે. ફાર્મના ઓપરેટર રોહન તિવારી જણાવે છે કે, તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને જ ગૌપાલન શરૂ કર્યું છે. રોહન હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. ફાર્મ શરૂ કરવા પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે, તેમને ગાયોની સેવા કરવી ગમે છે. આ સાથે તેમને આવક પણ મળે છે. હાલ તે અભ્યાસ કરે છે અને ગાયોની સેવા પણ કરે છે.

બે ગાયથી શરૂઆત કરી હતી

રોહન કહે છે કે તેણે બે ગાય સાથે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું. તે પછી ધીરે ધીરે તે ગાયોની સંખ્યા વધારતો રહ્યો. જેમ જેમ દૂધની માગ વધી, તે જ રીતે તે ગાયોની સંખ્યામાં વધારો કરતો રહ્યો. રોહન કહે છે કે, ક્યારેય એક સાથે વધારે ગાય ખરીદવી જોઈએ નહી. કારણ કે તેના દ્વારા ઉત્પાદીત થયેલા બધા જ દૂધનું વેચાણ ન થાય તો આવી સ્થિતિમાં નુકસાન થાય છે.

હાલ તેના ફાર્મમા એક ગાય સિવાય બધી જ ગાય દૂધ આપે છે. બધી ગાયો HF જાતિની છે. આજે રોહનનાં ફાર્મમાંથી દરરોજ 100 લિટરથી વધુ દૂધ બજારમાં વેચાણ માટે જાય છે. તે 45 રૂપિયા પ્રતિ લિટરના દરે ગાયનું દૂધ વેચે છે.

નોકરી કરતાં ગૌપાલન વધારે નફાકારક

રોહન કહે છે કે તેને આ કામ માટે પરિવાર તરફથી સહયોગ મળ્યો છે અને નોકરી કરતાં આ વ્યવસાય કરવો વધુ સારો છે, કારણ કે તેમાં સારી કમાણી થાય છે. સાથે ગાયોની સેવા પણ થાય છે. રોહન જણાવે છે કે તે દરરોજ સવારે પાંચ વાગ્યે અહીં પહોંચે છે. આ સિવાય તેમણે અહીં યોગ્ય મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે.

રોહન રોજ પોતાનો મોટાભાગનો સમય અહીં વિતાવે છે. તેમણે કહ્યું કે જો આ વ્યવસાય યોગ્ય કાળજી અને સંચાલન સાથે ચલાવવામાં આવે તો ડેરી વ્યવસાય ખોટ કરતો વ્યવસાય નથી. તે દૂધ ઉપરાંત ઘી અને ચીઝ બનાવી તેનું પણ વેચાણ કરે છે.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">