ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફળોના બગીચાને નુકસાન ઘટાડવા માટે, નવી ડ્રેનેજ લાઈન ખોદીને અથવા બગીચામાંથી પાણીને શક્ય તેટલું ઝડપથી પમ્પ દ્વારા બહાર કાઢો.

ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 6:12 PM

વરસાદ અને પૂર દરમિયાન, સામાન્ય લોકો અને પ્રાણીઓ સાથે વૃક્ષો અને છોડ પણ તેના અતિરેકથી પરેશાન થાય છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય, બિહારના અખિલ ભારતીય ફળ સંશોધન પ્રોજેક્ટના મુખ્ય તપાસનીસ અને સહયોગી નિયામક સંશોધન ડો. એસ.કે. સિંહ વૃક્ષોમાં થયેલા ફેરફારો વિશે જણાવે છે કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જમીનનું તાપમાન જેટલું ઉંચું હશે, તેટલું છોડને વધુ નુકસાન થશે.

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફળોના બગીચાને નુકસાન ઘટાડવા માટે, નવી ડ્રેનેજ લાઈન ખોદીને અથવા બગીચામાંથી પાણીને શક્ય તેટલું ઝડપથી પમ્પ દ્વારા બહાર કાઢો. જો મૂળ જમીનની સપાટી પર કાંપ અથવા અન્ય કાટમાળનો નવો સ્તર જમા થયો હોય, તો તેને દૂર કરો અને જમીનની સપાટીને તેના મૂળ સ્તરે પુન:સ્થાપિત કરો.

જમીનમાં વધુ ભેજ છોડને નુકસાન પહોંચાડે છે

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જો માટી ક્ષીણ થઈ ગઈ હોય, તો આ જગ્યાઓને સમાન પ્રકારની માટીથી ભરો. રેતી, લીલા ઘાસ અથવા અન્ય પ્રકારની માટીનો ઉપયોગ કરશો નહીં. બગીચામાં વૃક્ષની ઉંમર પ્રમાણે ખાતરનો ઉપયોગ કરો, પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ આંબા અને લીચીના બગીચામાં કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો નહીં.

વૃક્ષો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પ્રજનનકાળમાં હોય છે

જો તમે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ બાદ ખાતરનો ઉપયોગ કર્યો હોય અથવા કોઈ પણ પ્રકારનું કૃષિ કાર્ય કર્યું હોય, તો ફેબ્રુઆરીના અંતમાં તમારા બગીચામાં ફૂલોને બદલે નવા પાંદડા બહાર આવશે અને નુકસાન થઈ શકે છે. જો તમારું વૃક્ષ બીમાર કે રોગગ્રસ્ત છે અને તમારો ઉદ્દેશ વૃક્ષ બચાવવાનો છે તો તે અલગ બાબત છે.

ડો. એસ.કે. સિંઘના જણાવ્યા મુજબ, વ્યાપારી ફળોના વાવેતર માટે, પૂરનું પાણી ઘટ્યા બાદ ફૂગ નાશકનો ઉપયોગ કરી શકાય છે અને તે ચેક કરો કે પાક હજુ પણ જીવંત છે. પાણી ભરાયા બાદ છોડ નબળા પડે છે અને રોગો તથા જીવાતની શક્યતાઓ છે. ફાયટોપ્થોરાના લક્ષણો માટે ફળની તપાસ કરો. આ રોગથી સંક્રમિત છોડમાં ઘણીવાર પીળા પાંદડા હોય છે જે હાંસિયામાં બળી ગયેલા દેખાય છે અને પાનખરમાં અકાળે સુકાઈ શકે છે. જંતુ નાશક દવાનો ઉપયોગ કરી તેના દ્વારા વૃક્ષોને બચાવી શકાય છે.

રોગના નિયંત્રણ માટે, રીડોમિલ ગોલ્ડ નામની ફૂગનાશક દવા 2 ગ્રામ / લિટર પાણીમાં ભેળવીને જમીનને સારી રીતે પલાળી દો. પુખ્ત વૃક્ષની આસપાસની જમીન માટે ઓછામાં ઓછા 30 લિટર દવાનું મીશ્રણ જરૂરી છે.

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની કાળજી કેવી રીતે કરવી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : આ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ થયા, 17,000 ખેડૂતોને ફાયદો થશે અને 3,100 લોકોને મળશે રોજગારી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">