મોટા પુત્રએ પિતા પર ધોકાથી હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ, દાદીને પણ કોઈને કહેશે તો મારી નાખવાની આપી ધમકી, PM રિપોર્ટમાં થયો ખૂલાસો

અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિ બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની ઘટના બની હતી. જોકે તેનો પોસ્ટમોટમ રિપોર્ટ આવતા તે વ્યક્તિનું પડી જવાથી નહિ પણ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા પુત્રએ પિતા પર ધોકાથી હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ, દાદીને પણ કોઈને કહેશે તો મારી નાખવાની આપી ધમકી, PM રિપોર્ટમાં થયો ખૂલાસો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 30, 2024 | 10:09 PM

અમદાવાદના બાપુનગરમાં એક પુત્ર એ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં અશોકભાઈ તેના નાના અને માતા સાથે રહેતા હતા. ગત 25 માર્ચના ધુળેટીના દિવસે અશોકભાઈ ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. અશોકભાઇની માતાને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં અશોકભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે અશોકભાઈના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું પડી જવાથી નહીં પરંતુ તેની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

કપડા ધોવાના ધોકાથી પિતા પર હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

પોલીસની પ્રાથમિક તપાસમાં અને અશોકભાઈના પત્નીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ધુળેટીના તહેવારમાં અશોકભાઈ ઘરે હતા ત્યારે બીજો પુત્ર લોકેશ તેના ઘરે આવ્યો હતો અને પિતાને ‘તમે મને કેમ તમારી સાથે રાખતા નથી’ તેમ કહી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બાદમાં દીકરા લોકેશે કપડાં ધોવાના ધોકા થી પિતા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમજ લોકેશે દાદીને પણ આ અંગે કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તે ઘરેથી નાસી ગયો હતો. સમગ્ર ઘટના બાદ દાદીએ અન્ય પુત્ર મીતને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીત દ્વારા પોલીસમાં ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બેકાર પુત્રને પિતાએ ઘરમાંથી કાઢી મુક્તા ખાર રાખી દીકરાએ પિતાની જ કરી નાખી હત્યા

હાલ તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક અશોકભાઈ અને તેની પત્નીને મનમેળ ન હોવાથી બંને વર્ષ 2007થી જુદા રહેતા હતા તેમજ મોટો પુત્ર લોકેશ માતા સાથે રહેતો હતો અને નાનો પુત્ર મીત પિતા સાથે રહેતો હતો. મોટો પુત્ર લોકેશ ઘણા સમયથી કોઈ કામ ધંધો નહીં કરતા હોવાથી બેકાર હતો. જેથી તેને પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હતો. જેનો ખાર રાખી તેણે પિતાની હત્યા કરી નાખી હતી. હાલ તો નાનાભાઈ મીતની ફરિયાદને આધારે પોલીસે મોટાભાઈ લોકેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો: સાબરકાંઠાના ઉમેદવારને લઈને ચાલી રહેલા અસંતોષ મુદ્દે CMની મેરેથોન બેઠક, સમાધાન અંગે સસ્પેન્સ યથાવત 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">