AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Securitiesને શેરબજારમાંથી બહાર કરવાની તૈયારી!!! રોકાણકારો ઉપર શું અસર પડશે?

ICICI Securities Delisting : ICICI Bank ના પ્રમોટર ICICI Securities ને ડિલિસ્ટિંગ(Delisting) કરવાનું વિચારી રહ્યા હોવાના સમાચારને પગલે સોમવારે ICICI સિક્યોરિટીઝનો શેર(ICICI Securities Share Price) 15% વધીને  રૂપિયા 647ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ICICI Securitiesને શેરબજારમાંથી બહાર કરવાની તૈયારી!!! રોકાણકારો ઉપર શું અસર પડશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:32 AM
Share

ICICI Bank ના પ્રમોટર ICICI Securities ને ડિલિસ્ટિંગ(Delisting) કરવાનું વિચારી રહ્યા હોવાના સમાચારને પગલે સોમવારે ICICI સિક્યોરિટીઝનો શેર(ICICI Securities Share Price) 15% વધીને  રૂપિયા 647ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ભારતની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI Bank એ એક્સચેન્જોને જાણ કરી હતી કે ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટ કરવાની દરખાસ્ત પર વિચાર કરવા માટે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ગુરુવાર 29 જૂને મળશે. આ બેઠકમાં ICICI સિક્યોરિટીઝને ડીલિસ્ટ(ICICI Securities Delisting) એટલે ​​કે શેરબજારમાંથી બહાર કરવાનો નિર્ણય લઈ શકાય છે. કંપનીના શેર એક સપ્તાહમાં 7%, એક મહિનામાં 14%, ત્રણ મહિનામાં 28% અને  એક વર્ષમાં 30% વધ્યા છે.

એક્સ્ચેન્જમાં ફાઇલિંગમાં વિગતો જાહેર કરાઈ

BSE પર પ્રમોટર શેરહોલ્ડિંગ ડેટા અનુસાર ICICI બેંક ICICI સિક્યોરિટીઝમાં 74.85% હિસ્સો ધરાવે છે. જે 24,16,52,692 ઇક્વિટી શેર છે. પબ્લિક શેરહોલ્ડિંગ 8,12,15,034 ઇક્વિટી શેર અથવા 25.15% છે. બજાર ખૂલતા પહેલા સોમવારે એક્સ્ચેન્જમાં ફાઇલિંગમાં ધિરાણકર્તાએ જણાવ્યું હતું કે ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટ કરવાની દરખાસ્ત સેબીના ડિલિસ્ટિંગના નિયમો અનુસાર કરવામાં આવશે.

શેરની પ્રાઇસ હિસ્ટ્રી

છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક અપટ્રેન્ડમાં રહ્યો છે અને 27% ઉછળ્યો છે. ICICI સિક્યોરિટીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,795.88 કરોડ છે. ICICI સિક્યોરિટીઝના શેરોએ છેલ્લા 12 મહિનામાં 42% નું વળતર આપ્યું છે અને નિફ્ટી 50 કરતાં વધુ પ્રદર્શન કર્યું છે જેણે આ સમયગાળા દરમિયાન 20% વળતર આપ્યું છે. ટ્રેન્ડલાઇન ડેટા મુજબ શેરે નીચી વોલેટિલિટી દર્શાવી હતી અને 1 ના 1-વર્ષના EBITA સાથે વેપાર કર્યો હતો.

Q4 માં ત્રિમાસિક ધોરણે નફો ઘટ્યો હતો

31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં  ICICI સિક્યોરિટીઝનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 23% અને ક્રમિક રીતે 7% ઘટીને રૂ. 262 કરોડ થયો હતો. કંપની પાસે આશરે 78,000 ગ્રાહકોનો ક્લાયન્ટ બેઝ છે અને તેની AUM (સંચાલન હેઠળની સંપત્તિ) Q4 FY2023 માં રૂ. 3.2 લાખ કરોડ હતી જે વાર્ષિક ધોરણે 13% ની વૃદ્ધિ દર્શાવે છે.

શેરબજારના નિષ્ણાંત આશુતોષ મિશ્રા અનુસારICICI સિક્યોરિટીઝને ICICI બેંકની સબસિડિયરી હોવાનો લાભ પહેલેથી જ મળી રહ્યો છે. તે જ સમયે, ડિલિસ્ટિંગ પછી કંપની માટે નિયમનકારોને રિપોર્ટિંગ કરવું  સરળ બનશે.

શેર ડિલિસ્ટિંગનો અર્થ શું છે?

સ્ટોક એક્સચેન્જમાંથી કંપનીને દૂર કરવાની પ્રક્રિયાને ડિલિસ્ટિંગ કહેવામાં આવે છે એટલે કે ડિલિસ્ટિંગ પછી સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકાતું નથી. ડીલિસ્ટિંગ બે સંજોગોમાં થાય છે એક  કંપની મેનેજમેન્ટની મરજીથી નિર્ણય લે છે અથવા બીજું નિયમોની અવગણના કરવા સામે પગલાં ભરવાથી થઈ શકે છે.

ડિલિસ્ટિંગની જાહેરાત સાથે કંપની ડિલિસ્ટિંગ માટે ફ્લોર પ્રાઇસ નક્કી કરે છે. ફ્લોર પ્રાઈસ એટલે લઘુત્તમ રકમ કે જેના પર શેર પાછા ખરીદવામાં આવશે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">