AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે

પોઝિટિવ પે સિસ્ટમ માટે બેંકના ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા, ચેકની તારીખ, ચેકની રકમ, કોના નામે ચેક અપાઈ રહ્યો છે વગેરે માહિતી બેંકને આપવી જરૂરી છે. પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી વિના ચેકની રકમ ચૂકવવામાં આવશે નહીં.

ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:59 AM
Share

જો તમે તમારા નાણાકીય વ્યવહારો(Financial Transactions)માં ચેકનો વધુ ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામની છે. દેશમાં ચેક દ્વારા પેમેન્ટ(Cheque Payment) કરવાના નિયમો બદલાયા છે. રિઝર્વ બેંક(Reserve Bank of India – RBI)ની સૂચનાઓના આધારે  બેંકો ચેક દ્વારા ચુકવણી માટે Positive pay system લાગુ કરી રહી છે. પંજાબ નેશનલ બેંક (PNB) 4 એપ્રિલથી પોઝિટિવ પે સિસ્ટમ(PPS) નો નિયમ લાગુ કરવા જઈ રહી છે. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank -PNB) પોઝિટિવ પે સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપી છે. 4 એપ્રિલથી નવા નિયમ હેઠળ ગ્રાહકોએ ચેક દ્વારા રૂ. 10,00,000 કે તેથી વધુની ચુકવણી કરવા માટે ફરજિયાતપણે પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી કરવી પડશે.

પોઝિટિવ પે સિસ્ટમ માટે બેંકના ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા, ચેકની તારીખ, ચેકની રકમ, કોના નામે ચેક અપાઈ રહ્યો છે વગેરે માહિતી બેંકને આપવી જરૂરી છે. પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી વિના ચેકની રકમ ચૂકવવામાં આવશે નહીં.

પોઝિટિવ પે સિસ્ટમ વિશે વધુ માહિતી પંજાબ નેશનલ બેંકની વેબસાઇટ પરથી અથવા ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર કૉલ કરીને મેળવી શકાય છે.

અન્ય બેંકોએ પણ તેનો અમલ કર્યો છે

પંજાબ નેશનલ બેંક પહેલા, ઘણી વધુ જાહેર અને ખાનગી બેંકોએ આ નિયમ લાગુ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB), બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ નિયમ 1 જાન્યુઆરી, 2021થી લાગુ કર્યો છે. SBI એ રૂ. 50,000 થી વધુના ચેક પેમેન્ટ માટે આ લાગુ કર્યું છે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન સંબંધિત નિયમો 1લી ફેબ્રુઆરીથી લાગુ થશે.

પોઝિટિવ પે સિસ્ટમ શું છે?

દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ છેતરપિંડીઓને રોકવા માટે વર્ષ 2020 માં ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા રૂ. 50,000 થી વધુની ચુકવણી માટે ચોક્કસ મુખ્ય માહિતીની જરૂર પડી શકે છે.પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા ચેકની માહિતી મેસેજ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા આપી શકાય છે. ચેકની ચુકવણી કરતા પહેલા આ વિગતો તપાસવામાં આવે છે.

આ પણ વાંચો : SBI ની FD કે પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ ? જાણો જમા કરેલા પૈસા પર ક્યાં મળશે વધારે વળતર

આ પણ વાંચો :  ઈન્ફોસિસ રશિયામાં બંધ કરવા જઈ રહી છે તેની ઓફિસ, યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહેલા દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">