AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે EVને આપ્યો મોટો બુસ્ટ, લિથિયમ માઈનિંગને કેબિનેટે આપી મંજૂરી

હવે કંપનીઓને તે વિસ્તારોમાં પણ માઈનિંગ કરવાની છૂટ આપવામાં આવશે, જ્યાં તેઓ માઈનિંગ કરવા ઈચ્છે છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારા પછી સરકાર દ્વારા બ્લોક અથવા ખાણની નવી રીતે હરાજી કરવામાં આવશે.

સરકારે EVને આપ્યો મોટો બુસ્ટ, લિથિયમ માઈનિંગને કેબિનેટે આપી મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 4:46 PM
Share

12 જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારાને મંજૂરી આપી અને લિથિયમ (Lithium) અને અન્ય ખનિજોના ખાણકામને મંજૂરી આપી હતી. આ સાથે લિથિયમ માઈનિંગમાંથી ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની શક્યતાઓ વધી છે. અગાઉ એવા અહેવાલ હતા કે સરકાર લિથિયમ, સોનું, ચાંદી, તાંબુ અને જસત જેવા ખનિજોના સંશોધનને પ્રોત્સાહિત કરવા કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે.

2014થી ખાણ અને ખનિજ અધિનિયમમાં આ પાંચમો સુધારો છે, જેમાં અગાઉના ફેરફારોમાં ખનિજ સંસાધનો માટે ઈ-હરાજી ફરજિયાત કરવામાં આવી હતી અને ખનન લીઝની મુદત લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Share Market :સરકારના આ નિર્ણયથી online Gaming કંપનીના શેર ઊંધા માથે પટકાયા,Delta Corp Ltd 23% તૂટ્યો

હવે કંપનીઓને તે વિસ્તારોમાં પણ માઈનિંગ કરવાની છૂટ આપવામાં આવશે, જ્યાં તેઓ માઈનિંગ કરવા ઈચ્છે છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારા પછી સરકાર દ્વારા બ્લોક અથવા ખાણની નવી રીતે હરાજી કરવામાં આવશે.

હવે ઉંડાણમાં હાજર મહત્વના ખનિજોના ખનન માટે જ કંપનીઓને લાયસન્સ આપવામાં આવશે. આ ખનિજોમાં સેલેનિયમ, તાંબુ, ટેલુરિયમ, જસત, સીસું, કેડમિયમ, સોનું, ઈન્ડિયમ, ચાંદી, રોક ફોસ્ફેટ, હીરા, એપેટાઈટ અને પોટાશ સહિતના ઘણા મહત્વપૂર્ણ તત્વોનો સમાવેશ થાય છે.

પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે

આ ખનિજોમાં સેલેનિયમ, તાંબુ, ટેલુરિયમ, જસત, સીસું, કેડમિયમ, સોનું, ઈન્ડિયમ, ચાંદી, રોક ફોસ્ફેટ, હીરા, એપેટાઈટ અને પોટાશ સહિતના ઘણા મહત્વપૂર્ણ તત્વોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કરીને ખાનગી ક્ષેત્રને ખાણકામમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી તેઓ વધુમાં વધુ માઈનીંગ કરી શકે.

ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં થશે વધારો

તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કર્યા પછી ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે. કારણ કે ઈલેક્ટ્રિક વાહનો બેટરી પર ચાલે છે અને બેટરીમાં લિથિયમનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં લિથિયમ જેટલું વધુ ઉત્પાદન થશે, તેટલી જ રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે.

આમ પણ કેન્દ્ર સરકાર પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે એક વર્ષની અંદર ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થઈ જશે. આવી સ્થિતિમાં ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કરવાથી પ્રદૂષણ પર આડકતરી રીતે અંકુશ આવશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">