એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી

ક્ષત્રિય સમાજને અપિલ કરતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, હુ રુપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગુ છુ. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રુપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ. અમે હંમેશા કહ્યું છે કે, આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 2:31 PM

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, ભાજપના પ્રદેશ મહામંત્રી સાથે વિવિધ જિલ્લાઓના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ, આજે સુરતમાં ક્ષત્રિય રુપાલા વિવાદ મુદ્દે બોલ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, રૂપાલાનું નિવેદન ભૂલ છે. આ માટે એક વાર નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માગીશુ. ક્ષત્રિય સમાજને અપિલ કરતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, હુ રુપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગુ છુ. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રુપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ. અમે હંમેશા કહ્યું છે કે, આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો.

હર્ષ સંઘવીએ કહ્યું કે, સમાજના નામે રાજનીતિ કયારેય ના થવી જોઈએ. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આ પ્રકારે રાજકીય નિવેદન કરવું યોગ્ય નથી. ચૂંટણીઓ તો આવતી રહેશે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે, સમાજની રાજનીતિ ક્યારેય ન હોવી જોઈએ. અમે ક્ષત્રિય સમાજને મનાવવા પ્રયાસ કરીએ છીએ અને પ્રયાસ કરતા રહીશું 1000 વાર પણ માફી માગીશું. પણ સમાજના નામ પર ક્યારેય રાજનીતિ ન થવી હોઈએ.

ગઈકાલે પ્રિયકા ગાંધીએ વલસાડ ખાતે પોતાના ભાષણ દરમિયાન આદિવાસીઓના હિતની વાત કરી હતી તેના પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદીવાસી વિસ્તારોમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે દૂર દૂર સુધી ગામડાઓમાં શાળા, પાણી અને રસ્તાઓ ન હતા. પ્રિયંકા ગાંધી ભૂલી ગયા કે, ભાજપની સરકારમાં નરેન્દ્ર મોદીની સરકારમાં, ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂમુનું નામ રજૂ કર્યું હતું તે સમયે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.

આજે આદિવાસીઓ બહેનોના ઘરે પાણી પહોંચ્યું, રસ્તા થતા અને શાળાઓ બની છે. આજે આદિવાસી બહેનો રમત ગમત ક્ષેત્રમાં ડંકો વંગાડે છે. મોરારજી દેસાઈની સરકાર તોડવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. આદીવાસીઓને તેમના હક્કથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસે કર્યું હતું.

Follow Us:
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">