બોરવેલમાં ખાબક્તા બાળકોનો ત્વરીત જીવ બચાવવા મિકેનિકલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર- જુઓ વીડિયો

સુરત બોરવેલમાં ખાબક્તા બાળકોનો ત્વરીત જીવ બચાવવા માટે બારડોલીની ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલના વિદ્યાર્થીઓએ એક ખાસ યંત્ર તૈયાર કર્યુ છે. બોરવેલમાં ગરકાવ થયેલા ભૂલકાઓને બચાવવામાં આ યંત્ર વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 11:29 PM

સુરત: બારડોલીની એક ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલના વિદ્યાર્થીઓએ એક ખાસ ડિવાઈસ તૈયાર કર્યુ છે. આ ડિવાઈસની મદદથી બોરવેલમાં ગરકાવ થયેલા બાળકનો ત્વરીત જીવ બચાવવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓએ એક એક અનોખુ રોબોટિક ડિવાઈઝ ડિવાઈસ તૈયાર કર્યુ છે જે બોરવેલમાં ખાબકતા બાળકોની બચાવ કામગીરી માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે.

આમ તો “વિકાસ” મામલે આપણો દેશ જાણે હરણફાળ ભરી રહ્યો છે. પરંતુ, ચિંતાજનક અને શરમજનક ઘટના એ છે કે ઘણીવાર આવા “વિકાસ” કામો જ્યાં થઈ રહ્યા હોય તેવી જગ્યાઓ પર જ માસૂમ બાળકો કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે. દેશમાં છાશવારે બાળકના બોરવેલમાં ખાબકવાની અને પછી તેના રેસ્ક્યુ ઑપરેશન માટે તંત્રની દોડધામની ખબરો સામે આવતી જ રહે છે. જો કે દરેક કિસ્સામાં માસૂમનો જીવ બચાવવામાં સફળતા હાથ નથી લાગતી.

મિકેલનિકલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ અનોખુ રોબોટિક ડિવાઈસ

સુરતના બારડોલી ખાતે આવેલ એક ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ હવે એક અનોખો જ “રોબોટ” ડિઝાઈન કરી દીધો છે ! આ ખાસ રોબોટ બોરવેલમાં ખાબકેલા બાળકોની બચાવ કામગીરી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. આ “યંત્ર”ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સરળતાથી મોબાઈલ સાથે કનેક્શન રહે છે. રોબટને બોરવેલમાં ઉતારતા જ તેમાં લાગેલા કેમેરા બાળકની “પરફેક્ટ પોઝિશન” બહાર ઊભેલા લોકો સુધી પહોંચાડે છે. અને પછી કમાન્ડ મુજબ રોબોટ બાળકને ધીમે-ધીમે બહાર લાવવામાં મદદ કરે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

10 કિલો વજન સુધીના બાકમે સરળતાથી બોરવેલમાં બહાર લાવી શકે છે ડિવાઈસ

પ્રથમ પ્રજાપતિ, તીર્થ મહેતા, હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે તેમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગ રૂપે આ અનોખો રોબોટ ડિઝાઈન કર્યો છે. આ રોબોટ તેમણે તેમના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. બચાવ કામગીરી માટે હાલ ઉપલબ્ધ મોંઘા “યંત્રો”ની સામે આ અનોખું “રોબોટિક ડિવાઈઝ” માત્ર સાતથી આઠ હજાર રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે. અને તે દસ કિલો સુધીના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે. હાલ આ “ડિઝાઈન”ને રજીસ્ટર્ડ કરવા મોકલી દેવાઈ છે. બોરવેલમાં ફસાયેલ બાળક સાથે આ “રોબોટિક ડિવાઈઝ”ની મદદથી વાતચીત પણ કરી શકાશે.

આપને જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ વર્ષ 2009થી અત્યાર સુધી 40થી પણ વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મોતને ભેટ્યા છે. જ્યારે બાળકોના બચાવ માટેની 70 ટકાથી વધુ કામગીરી પણ નિષ્ફળ નીવડી છે. ત્યારે આશા કરીએ કે બારડોલીના વિદ્યાર્થીઓની આ મહેનત રંગ લાવે. અને બોરવેલના લીધે ફરી કોઈ માતાનો ખોળો સૂનો થતા અટકે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, નર્મદામાં વાવાઝોડા સાથે, તો ડાંગના સાપુતારામાં થયો કરાનો વરસાદ- Video

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">