કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પરિવાર સાથે મનાવશે ધૂળેટીનો પર્વ, બપોર સુધીમાં આવશે ગુજરાત, જુઓ Video
એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ફરી એક વાર વતન આવવાના છે.
એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ફરી એકવાર વતન આવવાના છે.
આ પણ વાંચો-મહેસાણા બેઠક પર ભાજપે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યો, ઉમેદવારે શું કહ્યું? જુઓ
અમિત શાહ આજે અમદાવાદ આવવાના છે. આજે હોળીનો પર્વ છે અને લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવવાના છે. અમિત શાહ પરિવાર સાથે ધૂળેટીનો પર્વ મનાવવાના છે. સાથે જ અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઇ શકે છે.લોકસભા ચૂંટણીને લઈને બેઠકના આયોજનની શક્યતા છે.
મહત્વનું છે કે આ વખતે પણ અમિત શાહ ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડવાના છે. 15 માર્ચથી તેમણે પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતા. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો