Holi Celebration 2022: ગુજરાતમાં આ ગામડામાં આજે પણ અંગારા પર ચાલવાની પંરપરા, હોળી પર જાણો વિશેષ પરંપરા

ગુજરાતમાં કેટલાક ગામમાં આજે વર્ષો પછી પણ હોળી (Holi) પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા છે. વર્ષોથી આ અનોખી પરંપરા ચાલતી આવે છે.

Holi Celebration 2022: ગુજરાતમાં આ ગામડામાં આજે પણ અંગારા પર ચાલવાની પંરપરા, હોળી પર જાણો વિશેષ પરંપરા
People walk barefoot on live coal in some village of Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 9:08 AM

દેશભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત (Gujarat) માં પણ હોલિકા દહનનો આ પર્વ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં કેટલાક ગામમાં આજે વર્ષો પછી પણ હોળી (Holi) પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા છે. વર્ષોથી આ અનોખી પરંપરા ચાલતી આવે છે. ગાંધીનગરના પાલજ, મહેસાણાની વિસનગર અને ખેડાના પલાણા ગામમાં આ વર્ષે પણ પરંપરા (Tradition) જોવા મળી.

ગાંધીનગરના પાલજ ગામમાં વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ધામધામપૂર્વક ઉજવણી કરી હતી. પાલજમાં 35 ફૂટ ઊંચી હોલિકાનું દહનમાં સૌ ભાવિક ભક્તો જોડાયા હતા. હોલિકા દહન કરી લોકો પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. પાલજમાં હોળી પ્રગટાવીને એના અંગરાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. ત્યારે આ વર્ષે પણ ધગધગતા અંગારાઓ પર લોકો ઉઘાડા પગે ચાલતા જોવા મળ્યા. જો કે લોકોની એવી આસ્થા છે કે આ અંગારા પર ચાલવાથી તેઓ દાઝતા નથી.

મહેસાણાના વિસનગરમાં લાછડી ગામમાં પણ હોળીની 100 વર્ષ જૂની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. 100 વર્ષથી અહીં અંગારા પર ચાલીને હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે. હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલ્યા હતા. આ પરંપરાને નિહાળવા માટે લોકો દૂરદૂરથી આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, આ પ્રથા વર્ષોથી ચાલે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખેડાના પલાણા ગામમાં પણ હોલિકા દહન કરાયું હતું. જો કે પલાણા ગામમાં હોળીની અનોખી પરંપરા છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ લોકો અંગારામાં ચાલે છે. પલાણામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે. આ દ્રશ્યને નિહાળવા ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પરંપરાને અનુસરવા પાછળ ક્યાંક મનોકામના પૂર્ણ થતી હોવાનું જાણવા મળે છે. તો ક્યાંક માનતા પૂર્ણ થયા પછી લોકો અંગારા પર ચાલતા હોવાનું જાણવા મળે છે. કહેવાય છે કે આ અંગારા પર ચાલવાથી કોઇ ઇજા કે કઇ થતુ નથી. જો કે ટીવી 9 આ વાતને પ્રોત્સાહન આપતુ નથી.

આ પણ વાંચો-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે

આ પણ વાંચો-

Ahmedabad: AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી, 102 ડિફોલ્ટર્સ પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">