અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં સોસાયટીઓમાં ભરાયા પાણી, ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ Video

ઘાટલોડિયાની એકપણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય. ઘાટલોડિયાની અલ્કાપુરી સોસાયટીના ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને નાગરિકોના હાલ બેહાલ બન્યા છે. ત્યારે મેગા સિટી અને મેટ્રો સિટી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2024 | 10:15 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. લોકો કઇ સમજે તે પહેલા જ ધોધમાર વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. કોઇની ઘરવખરી, તો કોઇનું વાહન પાણીમાં ડૂબ્યું છે.

ઘાટલોડિયાની એકપણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય. ઘાટલોડિયાની અલ્કાપુરી સોસાયટીના ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને નાગરિકોના હાલ બેહાલ બન્યા છે. ત્યારે મેગા સિટી અને મેટ્રો સિટી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">