Rath Yatra 2024 : સાબરમતી નદીના જળથી 108 કળશ ભર્યાં, ગંગાપૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યાં હાજર, જુઓ Video

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે જળયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે પહોંચી છે. સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા છે. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 10:24 AM

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો આજે વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો. હર્ષોલ્લાસ પૂર્વક જળયાત્રા ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા હતા. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી.

આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા. સાબરમતી નદીનું જળ ભરી 108 કળશ મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરાશે. ત્યારબાદ ભગવાનન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે.

ભગવાન જગન્નાથ ગજવેશમાં આપશે દર્શન

ભગવાન જગન્નાથજીના મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બનેહ સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે. સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં રોજ સવાર અને સાંજ અવનવી વાનગીઓનો મનોરથ ધરાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">