AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભ્રષ્ટ કર્મી-અધિકારીઓ, ગેંગસ્ટર, ભૂમાફિયા સામે ‘દાદા’ ચલાવશે દંડો, સંપતિ ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ, ગેંગસ્ટરો અને ભૂમાફિયા સામે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આકરી કાયદાકીય કાર્યવાહી કરવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો છે. ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ, ગેંગસ્ટરો અને ભૂમાફિયાની સંપતિ ટાંચમાં લેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરીને તેમની સામે કાયદાકીય દંડો ઉગામાશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 02, 2024 | 7:21 PM
Share

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાતના ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયાઓની સંપતિને ટાંચમાં લેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓથી માંડી તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ જે કોઈ ગેરરીતિ કરશે તેની સામે કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે.

રાજકોટમાં તાજતેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અમદાવાદમાં ગઈકાલ ગુરુવારે લાંચ લેતા પકડાયેલા આસિ. ટીડીઓના કિસ્સા સરકારે આવા તત્વો સામે દાખલો બેસે તેવા પગલાં લેવાનું નક્કી કર્યું છે. આના માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાતોની મદદ લઈને નવો કાયદો ઘડવામાં આવશે અથવા તો જૂના કાયદામાં સુધારો કરવામાં આવશે.

આ કાયદો અમલમાં આવ્યા બાદ, ભ્રષ્ટ સરકારી કર્મચારી કે અધિકારી ઉપરાંત ગેંગસ્ટર અને જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ વિરુધ્ધ કાયદાકીય દંડો ઉગામવામાં આવશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">