બાંગ્લાદેશમાં ક્રુરતાપૂર્વક હિંદુઓની હત્યા કરવામાં આવી રહી છે, આ તુરંત રોકવુ જોઈએ: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિ

અમદાવાદની મુલાકાતે આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં થઈ રહેલી લઘુમતી હિંદુઓની હત્યાને લઈને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે સરકારે આના પર તાત્કાલિક કંઈક એક્શન લેવુ જોઈએ અને બાંગ્લાદેશના હિંદુઓને ભારત લાવવા અંગે પણ વિચારવુ જોઈએ.  

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 11, 2024 | 3:42 PM

બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ હિંદુઓને સતત ટાર્ગેટ કરાઈ રહ્યા છે. હિંદુઓ પર સતત અમાનવીય હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમની સંપત્તિ, માલ-મિલ્કતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેમના ઘરોને સળગાવવામાં આવી રહ્યા છે. હિંદુ દીકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આંદોલનકારીઓએ ક્રુરતાની તમામ હદો પાર કરી દીધી છે. એવા સમયે સમગ્ર વિશ્વ તેના પર મૌન છે. કોઈ ખુલીને આ હિંસક હુમલાઓને વખોડી નથી રહ્યુ. ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશના હિંદુઓ મુદ્દે ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતના સાધુ સંતો સાથે બાંગ્લાદેશના હિંદુઓ માટે બેઠક કરશુ. હાલ ત્યાં હિંદુઓ ભયાનક સ્થિતિમાં છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયાનક સ્થિતિમાં: શંકરાચાર્ય

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિએ વધુમાં ઉમેર્યુ કે જે લોકો હુમલા કરી રહ્યા છે તેમના શું ઉદ્દેશ્ય છે?તેઓ શું ઈચ્છે છે તે સ્પષ્ટ થવુ જોઈએ. બાંગ્લાદેશમાં હિંસક બનેલા આંદોલનકારીઓ ક્રુરતાપૂર્વક લઘુમતી હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હિંદુઓ સાથે મારકાપ થઈ રહી છે. આ અત્યંત ભયાનક સ્થિતિ છે. લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓને ટાર્ગેટ કરીને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. ઘરમાં ઘુસીને તેમને મારવામાં આવી રહ્યા છે. આવો અધિકાર તેમને કોણે આપ્યો? આ બંધ થવુ જોઈએ. આ અંગે સરકારે કંઈક વિચારી નિર્ણય લેવો જોઈએ.

સમગ્ર વિશ્વએ બાંગ્લાદેશના હિંદુઓ મુદ્દે અવાજ ઉઠાવવો પડશે: શંકરાચાર્ય

શંકરાચાર્યએ જણાવ્યુ કે પ્રશાસને આ પીડિત હિંદુઓને ભારત લાવવા માટે નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યુ આજે ભારતમાં રહેતા મુસ્લિમોએ વિચારનું જોઈએ કે તેઓ ભારતથી વધુ ક્યાં સુરક્ષિત છે. શંકરાચાર્યએ જણાવ્યુ કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે થઈ રહેલી હિંસક પ્રવૃતિ સામે સમગ્ર વિશ્વએ એક થઈ અવાજ ઉઠાવવો પડશે.માનવતા, માનવીય મૂલ્યોની રક્ષા માટે આગળ આવવુ પડશે. શંકરાચાર્યએ હિંસક આંદોલનકારીઓને ઉલ્લેખીને પણ સવાલ કર્યો કે શું તેમના ધર્મમાં આવી હિંસા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે જણાવ્યુ કે ધર્મનુ પૂરતુ જ્ઞાન નથી મળ્યુ હોતુ આથી જ અજ્ઞાનને કારણે આ થઈ રહ્યુ છે. જેમા હજારો લોકોને મારવામાં આવી રહ્યા છે આ તુરંત રોકવુ જોઈએ.

આ લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ અખરોટ, ફાયદાને બદલે થશે નુકસાન
મુઠ્ઠીભર ફણગાવેલા મગ ખાઓ, ફક્ત એક જ મહિનામાં આ 4 બદલાવ જોવા મળશે
આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">