IPL 2021: મનિષ પાંડેએ વિકેટ ગુમાવતા મિસ્ટ્રી ગર્લનુ રિએકશન જોઇ ફેંસના દિલ તૂટી ગયા

આઇપીએલ 2021 ની શરુઆત ના તબક્કામાં જ રોમાંચક મેચો જોવા મળી રહી છે. જેને લઇને ક્રિકેટ ફેંસ પણ ખુશ થઇ ઉઠ્યા છે. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ IPL ની એક રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને છ રન થી પરાસ્ત કરી દીધુ હતુ.

IPL 2021: મનિષ પાંડેએ વિકેટ ગુમાવતા મિસ્ટ્રી ગર્લનુ રિએકશન જોઇ ફેંસના દિલ તૂટી ગયા
Kavya Maran
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 3:15 PM

આઇપીએલ 2021 ની શરુઆત ના તબક્કામાં જ રોમાંચક મેચો જોવા મળી રહી છે. જેને લઇને ક્રિકેટ ફેંસ પણ ખુશ થઇ ઉઠ્યા છે. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ IPL ની એક રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને છ રન થી પરાસ્ત કરી દીધુ હતુ. જેના બાદ ટ્વીટર પર મનિષ પાંડે (Manish Pandey) ને હારનો દોષી માનવાા આવી રહ્યો છે. મનિષ પાંડે એવા સમયે આઉટ થયો હતો, જે સમયે ટીમને તેની જરુર હતી. મનિષ ના આઉટ થયા બાદની ટીમની સીઈઓ કાવ્યા મારન (Kavya Maran) એ એવુ રિએક્શન આપ્યુ જે, સોશિયલ મિડીયા પર વાયરલ થવા લાગ્યુ છે.

RCB ના બોલર શાહબાઝ અહમદના બોલ પર મનિષ પાંડે એ મોટો શોટ રમવાના પ્રયાસમાં તે વિકેટ ગુમાવી બેઠો હતો. જે જોઇને હૈદરાબાદની સીઇઓ એ લમણે હાથ રાખી લીધો હતો. તેનુ આ રીએકશન જોઇને અનેક લોકોનુ દિલ જાણે કે તુટી ગયુ હતુ. મેચમાં એક સમયે હૈદરાબાદ ને 24 બોલમાં 35 રનની જરુર હતી. ત્યારે જ ક્રિઝ પર મનિષ પાંડે અને જોની બેયરિસ્ટો ટકેલા હતા. જોકે 17 મી ઓવરમાં શાહબાઝ અહમદ એ બંને ખેલાડીઓને આઉટ કરીને પેવેલિયન નો રસ્તો દેખાડી દીધો હતો. મનિષ પાંડે એ પણ જે રિતે પોતાની વિકેટ ગુમાવી હતી, તેને જોઇને કાવ્ય મારન પણ હેરાન રહી ગઇ હતી. તેણે પોતાનુ માથુ પકડી લીધુ હતુ.

હૈદરાબાદ એ જેવી આ મેચ ગુમાવી, તેવુ જ સોશિયલ મિડીયા પર લોકોએ મનિષ પાંડેને ખૂબ સાચુ ખોટુ સંભળાવી દીધુ હતુ. કેટલાક લોકોએ તો એટલે સુધી કહી દીધુ હતુ કે, હૈદરાબાદ એ પાંડે ને જીતેલી મેચ હરાવવા માટે ટીમમાં રાખ્યો છે. એટલામાં કટેલાક લોકો તો કહેવા લાગ્યા હતા કે હવે બહુ થયુ. એટલા માટે હવે મનિષ પાંડેના સ્થાને કોઇ અન્ય યુવા ખેલાડીને ટીમમાં મોકો આપવો જોઇએ. આ મેચને હરાવવા સાથે મનિષ પાંડે પોતાની ખરાબ બેટીંગ ના કારણે લોકોના નિશાના પર આવી ગયા છે. તો કાવ્યા મારનનો નિરાશ ચહેરો જોઇને પણ અનેક લોકો પરેશાન થઇ ગયા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

https://twitter.com/Oreohotchoco/status/1382395552227225600?s=20

સોશિયલ મિડીયા પર મનિષ પાંડેની એટલી બધી ફજેતી કરાઇ રહી છે કે, લોકો તેને ટીમ થી બહાર નિકાળવા ની વાતકરી રહ્યા છે. આ કારણ છે કે, લોકો એ હૈદરાબાદની હારના માટે મનિષ પાંડે ને જવાબદાર માની લીધો છે. ટ્વીટર પર પણ લોકો મનિષ પાંડેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના માટે આ મેચમાં કેપ્ટન ડેવિડ વોર્નર એ 37 બોલમાં 54 રનની ઇનીંગ રમી હતી. જોકે મનિષ પાંડેના બેટ થી 39 બોલમાં 38 રન આવ્યા હતા. ધીમી પારી માટે મનિષ પાંડે પર લોકો એ ખૂબ રોષ ઠાલવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">