વિરાટ કોહલીએ 1093 વાર ભગવાન શિવનું નામ કેમ લીધું? ગૌતમ ગંભીરે કર્યો રસપ્રદ ખુલાસો

|

Sep 18, 2024 | 6:41 PM

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર અવારનવાર મેદાન પર તેમની ઝપાઝપીને કારણે ચર્ચામાં રહેતા હતા, પરંતુ હવે બંને દિગ્ગજ એક બીજાને સવાલો કરતા અને જવાબ આપતા જોવા મળે છે. BCCI TVએ મુખ્ય કોચ ગંભીર અને વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે.

વિરાટ કોહલીએ 1093 વાર ભગવાન શિવનું નામ કેમ લીધું? ગૌતમ ગંભીરે કર્યો રસપ્રદ ખુલાસો
Virat Kohli & Gautam Gambhir (Photo PTI)

Follow us on

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેની જોરદાર વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરે એક એવી વાતનો ખુલાસો કર્યો જે કદાચ વિરાટના ફેન્સને પણ ખબર નહીં હોય. તેણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી ભગવાન શિવના મંત્રો જપતો હતો.

કોહલીએ ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો

ગૌતમ ગંભીરે BCCI TV પર વાતચીત દરમિયાન કહ્યું કે વિરાટ કોહલીએ 2014-15માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન દરેક બોલ પહેલા ભગવાન શિવનું નામ લીધું હતું. ગંભીરે કહ્યું કે વિરાટે કાંગારૂ બોલરોના દરેક બોલ પહેલા ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો અને વિરાટ કોહલીએ તે ટેસ્ટ શ્રેણીમાં કુલ 1093 બોલ રમ્યા હતા અને તેનો અર્થ એ થયો કે તેણે એટલી જ વાર ભગવાન શિવનો જાપ કર્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કોહલીએ કર્યો હતો કમાલ

ભલે ટીમ ઈન્ડિયા 2014-15માં ઓસ્ટ્રેલિયા ટૂર પર હારી ગઈ હતી, પરંતુ વિરાટ કોહલી માટે તે સિરીઝ ખૂબ જ ખાસ હતી. આ જ શ્રેણીમાં વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી દીધી અને જવાબદારી વિરાટના ખભા પર આવી ગઈ અને એ જ સિરીઝમાં આ બેટ્સમેને ઘણા રન બનાવ્યા. વિરાટે તે સિરીઝમાં 86થી વધુની એવરેજથી 692 રન બનાવ્યા હતા. તેણે કુલ 4 સદી અને એક અડધી સદી ફટકારી હતી.

 

ગંભીર હનુમાન ચાલીસાનો પાઠ કરતો હતો

ગૌતમ ગંભીરે કહ્યું કે તેને લાગે છે કે કોઈ બેટ્સમેન તે પ્રકારની બેટિંગ કરી શક્યો નથી જે રીતે વિરાટ કોહલીએ તે પ્રવાસમાં બેટિંગ કરી હતી. વિરાટ કોહલીનો તે ઝોન અલગ હતો. ગૌતમ ગંભીરે જણાવ્યું કે 2009માં રમાયેલી નેપિયર ટેસ્ટમાં તે પોતે પણ આ જ ઝોનમાં હતો, જેમાં તેણે 436 બોલમાં બેટિંગ કરી હતી અને તે દરમિયાન તેણે 137 રન બનાવ્યા હતા અને તે મેચમાં લક્ષ્મણે અણનમ 124 રન બનાવ્યા હતા. ગંભીરે જણાવ્યું કે તે મેચ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હતો.

ગંભીર વિરાટની કેપ્ટનશિપનો ચાહક

BCCI ટીવી પર વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરે પણ વિરાટની કેપ્ટનશીપના વખાણ કર્યા હતા. તેણે વિરાટને કહ્યું કે તે એક સારો કેપ્ટન બન્યો કારણ કે તેણે સારી બોલિંગ યુનિટ તૈયાર કરી છે. ખાસ કરીને જે રીતે તેણે પેસ બોલિંગ આક્રમણ બનાવ્યું જેમાં બુમરાહ, શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ હતા. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે અને તેણે કુલ 40 ટેસ્ટ મેચ જીતી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે? ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:40 pm, Wed, 18 September 24

Next Article