IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે

હૈદરાબાદ સામે લખનૌની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ રાહુલને ઠપકો આપ્યો હતો, જે બાદ રાહુલનું આગામી સિઝનમાં લખનૌની ટીમમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જોકે IPL 2024માં રાહુલની આવી હાલતનો જવાબદાર તે પોતે જ છે. રાહુલે આ સિઝન એવી ભૂલો કરી હતી જે તેને ભારે પડી હતી.

IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે
KL Rahul
Follow Us:
| Updated on: May 09, 2024 | 11:55 PM

હૈદરાબાદ સામેની મેચ બાદ LSGના માલિક સંજીવ ગોએન્કા કેએલ રાહુલે સાથે વાતચીત દરમિયાન ખૂબ જ ગુસ્સામાં હતા, જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જોકે આ પ્રકારે ટીમના માલિક અને કેપ્ટન વચ્ચેની વાતચીત બાદ એક વાત કહી શકાય કે આગામી સિઝનમાં રાહુલનું LSG ટીમ તરફથી રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. જોકે ટીમની અને તેની આ પરિસ્થિતિ માટે કેએલ રાહુલની કેટલીક ભૂલો જવાબદાર છે.

બેટિંગમાં નિષ્ફળ

કેએલ રાહુલની પહેલી અને સૌથી મોટી ભૂલ તેની પોતાની બેટિંગ છે. આ ખેલાડી છેલ્લી કેટલીક મેચોમાં સ્ટ્રાઈક રેટના મામલે સતત પાછળ રહ્યો છે. હૈદરાબાદ સામે બેટિંગ માટે યોગ્ય પીચ પર માત્ર 87.88ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શક્યો હતો. પાવરપ્લેમાં બેટિંગ એટલી ધીમી હતી કે પાવરપ્લેમાં લખનૌએ માત્ર 27 રન બનાવ્યા. જ્યાં સુધી રાહુલ ક્રિઝ પર રહ્યો ત્યાં સુધી લખનૌનો રન રેટ પ્રતિ ઓવર 6 રનથી ઉપર નહોતો ગયો. આવું માત્ર હૈદરાબાદ સામેની મેચમાં જ બન્યું નથી. છેલ્લી પાંચમાંથી ચાર મેચમાં કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ ઘણો ઓછો રહ્યો છે. સ્પષ્ટ છે કે બેટ્સમેન તરીકે કેએલ રાહુલ પોતાની ટીમને ઘણું નુકસાન પહોંચાડી રહ્યો છે.

કેપ્ટનશિપમાં સંપૂર્ણ નિષ્ફળતા

કેએલ રાહુલની માત્ર બેટિંગ જ નહીં પરંતુ તેની કેપ્ટનશિપ પણ છેલ્લી કેટલીક મેચોમાં એવરેજ રહી છે. આ ખેલાડી બોલર રોટેશનમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા હૈદરાબાદ સામે સતત મોટા શોટ રમી રહ્યા હતા ત્યારે કેએલ રાહુલ તેના બોલરોનો યોગ્ય ઉપયોગ કરી શક્યો ન હતો. એવું ક્યારેય લાગ્યું ન હતું કે રાહુલે આ બેટ્સમેનોને રોકવાની કોઈ યોજના બનાવી હતી. આ ખેલાડી માત્ર તેના બોલરોને માર મારવાનો તમાશો જોઈ રહ્યો હતો. ખરાબ બોલિંગના કારણે લખનૌની ટીમ છેલ્લી 4 મેચમાંથી 3 મેચ હારી ગઈ છે અને હવે લખનૌનું પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ખેલાડીઓનો ઉપયોગ કરવામાં ભૂલ

કેએલ રાહુલ તેની પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં પણ મોટી ભૂલ કરી રહ્યો છે. આ ટીમમાં ઘણા મહાન ખેલાડીઓ છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ રહ્યો, સૌથી પહેલા વાત કરીએ નિકોલસ પૂરનની, આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. પુરન પણ સારા ફોર્મમાં છે પરંતુ આ શાનદાર બેટ્સમેનને બહુ ઓછા બોલમાં બેટિંગ કરવાની તક આપવામાં આવે છે. પૂરનને ઘણીવાર 10 ઓવર પછી જ મેચમાં લાવવામાં આવે છે અને આ નિર્ણય લખનૌની વિરુદ્ધ જાય છે.

કેએલ રાહુલનું નિવેદન

હૈદરાબાદ સામેની હાર બાદ કેએલ રાહુલનું નિવેદન પણ ટીમની વિરુદ્ધમાં ગયું હતું. લખનૌના કેપ્ટને હૈદરાબાદ સામેની હાર બાદ કહ્યું હતું કે જો તેની ટીમ 240 રન બનાવી લેત તો પણ તે મેચ હારી ગઈ હોત. જો કોઈ કેપ્ટન જાહેરમાં આવું કંઈક બોલે છે, તો તે બતાવે છે કે તે કેટલો સંરક્ષણાત્મક વિચાર ધરાવે છે. શક્ય છે કે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક આ સાંભળીને ગુસ્સે થઈ ગયા હોય. હવે કારણ ગમે તે હોય, એક વાત ચોક્કસ છે કે KL રાહુલ માટે IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં રિટેન થવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs RCB: વિરાટ કોહલી સદી ચૂકી ગયો પરંતુ બનાવ્યો આ રેકોર્ડ, IPL ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">