Ranji Trophy: 2 મિત્રો વચ્ચે ટક્કર, એક પાસે 23 વર્ષ બાદ ઇતિહાસ રચવાની તક અને બીજાની સામે ખોવાયેલી શાખ પરત મેળવવાનો પડકાર

|

Jun 21, 2022 | 8:30 AM

Ranji Trophy : મધ્યપ્રદેશના કોચ ચંદ્રકાંત પંડિત (Chandrakant Pandit) અને મુંબઈના કોચ અમોલ મઝુમદાર (Amol Majumdar) એકસાથે રમ્યા છે અને બંનેએ સુપ્રસિદ્ધ કોચ રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ તેમની રમતને વધુ સારી બનાવી છે.

Ranji Trophy: 2 મિત્રો વચ્ચે ટક્કર, એક પાસે 23 વર્ષ બાદ ઇતિહાસ રચવાની તક અને બીજાની સામે ખોવાયેલી શાખ પરત મેળવવાનો પડકાર
Ranji Trophy Final

Follow us on

દેશની સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ફાઇનલ (Ranji Trophy 2022) માં બુધવારે જ્યારે મુંબઈ (Mumbai Ranji Team) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh Ranji Team) ની ટીમો બેંગલુરુના ચિન્નાસ્વામી મેદાન પર ટકરાશે ત્યારે ખેલાડીઓની સાથે સાથે એવા બે કોચ વચ્ચે પણ ટક્કર થશે જેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક ખેલાડી તરીકે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું છે. મધ્યપ્રદેશના કોચ ચંદ્રકાંત પંડિત (Chandrakant Pandit) અને તેમના મુંબઈ સમકક્ષ અમોલ મજુમદાર (Amol Majumdar) સામાન્ય રીતે મુંબઈના ક્રિકેટરોની મજબૂત માનસિકતા માટે જાણીતા છે. આ બંનેમાં બીજી એક વસ્તુ જે સમાન છે તે એ છે કે બંનેએ સુપ્રસિદ્ધ કોચ રમાકાંત આચરેકર (Ramakant Achrekar) ની દેખરેખ હેઠળ તેમની રમતની કુશળતાને સુધારી છે.

એક ખેલાડી તરીકે લાંબા સમય સુધી મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યા પછી ચંદ્રકાંત પંડિત મધ્ય પ્રદેશમાં જોડાયા અને તેમની કપ્તાની હેઠળ ટીમ 1998માં ફાઇનલમાં પહોંચી હતી. કોચ તરીકે તેણે મધ્યપ્રદેશની ટીમનું મુંબઈની રીતે નેતૃત્વ કર્યું. જેથી આ ટીમ ફાઇનલમાં પહોંચી શકે. મધ્યપ્રદેશ 41 વખતની ચેમ્પિયન મુંબઈના પડકારનો સામનો કરશે. જે પૃથ્વી શૉ, યશસ્વી જયસ્વાલ, અરમાન જાફર, સરફરાઝ ખાન અને સુવેદ પારકર જેવા બેટ્સમેનોની આગામી પેઢીથી સજ્જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈએ સ્થાનિક ક્રિકેટમાં તેનું સ્થાન ગુમાવ્યું છે. જેના માટે આ ટીમ જાણીતી હતી અને આ વખતે ટાઇટલ જીતીને તે તેની ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવાનો પ્રયાસ કરશે.

બંને એકબીજાને સારી રીતે ઓળખે છે

પૃથ્વી શૉ, યશસ્વી જયસ્વાલ, અરમાન જાફર, સુવેદ પારકર આ તમામ બેટ્સમેન 25 વર્ષથી ઓછી ઉંમરના છે અને મધ્યપ્રદેશના બોલિંગ આક્રમણને નષ્ટ કરવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ પાસે કુમાર કાર્તિકેયમાં ડાબોડી સ્પિનર ​​તેજસ્વી છે. પરંતુ કેટલાક અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં અન્ય બોલરો એટલા અસરકારક રહ્યા નથી. જ્યારે અમોલ મજમુદાર કોચ તરીકે પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. તો ચંદ્રકાંત પંડિત છઠ્ઠી વખત આ ખિતાબ જીતવા ઈચ્છશે. કોચ તરીકે તેણે વિદર્ભ અને મુંબઈ માટે પાંચ રણજી ટાઈટલ જીત્યા છે. ચંદ્રકાંત પંડિતે કહ્યું, અમોલ મારી વિચારશૈલીથી સારી રીતે વાકેફ છે. આ રીતે હું તેના વિશે પણ જાણું છું. અમે બંને મુંબઈ ક્રિકેટના માર્ગને અનુસરીએ છીએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમોલ મજમુદારે કહ્યું, મારા અને ચંદુમાં કોઈ ફરક નથી. અમે બંનેએ સમાન સંજોગોમાં પ્રગતિ કરી છે. ફાઇનલ મેચ એ ખેલાડીઓ વિશે વધુ છે જેઓ મેદાનમાં ઉતરશે અને પોતાની ટીમ માટે ટાઇટલ જીતવા માંગે છે.

23 વર્ષ બાદ ફરી તક મળી છેઃ ચંદ્રકાંત પંડિત

ચંદ્રકાંત પંડિતે કહ્યું, હું મુંબઈનો છું અને અમે મુંબઈમાં ટાઈટલ જીતવાને સારી સિઝન માની રહ્યા છીએ. જ્યારે તેનાથી ઓછું કંઈપણ ખરાબ માનવામાં આવે છે. પંડિતે તેની છેલ્લી સિઝન મધ્યપ્રદેશ સાથે ખેલાડી તરીકે રમી હતી. જ્યાં આ મેદાન પર રમાયેલી ફાઇનલમાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, આ એ જ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે જ્યાં મારી કપ્તાનીમાં મધ્યપ્રદેશને રણજી ફાઇનલમાં કર્ણાટક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 23 વર્ષ બાદ ટીમને આ મેદાનમાં ચેમ્પિયન બનવાનો વધુ એક મોકો મળ્યો છે.

Next Article