IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પલ્લેકેલેમાં જોરદાર તૈયારીઓ કરી રહી છે. સતત 2 દિવસ સુધી સંપૂર્ણ સ્ટ્રેન્થ પ્રેક્ટિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જબરદસ્ત ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી. જેમાં ટીમ મેનેજમેન્ટે ત્રણ કેપ્ટન બનાવ્યા હતા. જાણો એ ડ્રિલમાં શું થયું?

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 'કેપ્ટન', હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
Riyan Parag, Hardik Pandya, Ravi Bishnoi
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:55 PM

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝ 27 જુલાઈથી પલ્લેકેલેમાં શરૂ થઈ રહી છે. આ મેદાન પર ત્રણેય મેચો યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ ખાસ છે કારણ કે ટીમના કેપ્ટન અને કોચ બંને નવા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે અને ગૌતમ ગંભીર મુખ્ય કોચ બની ગયો છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં આસાનીથી T20 સિરીઝ જીતવા ઈચ્છે છે અને આ માટે પલ્લેકેલેના મેદાનમાં ખાસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાએ ગુરુવારે એક ખાસ ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી, જેમાં ટીમના ત્રણ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ

પલ્લેકેલેના રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા છે. દરેક ટીમમાં 5-5 સભ્યો હતા. ત્રણેય ટીમના ખેલાડીઓએ સ્ટમ્પ પર ડાયરેક્ટ હીટ મારવાની હતી. ત્રણેય ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ અંતે હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ. રિષભ પંતે 2 અને અર્શદીપ સિંહે એક ડાયરેક્ટ હીટ મારી. શુભમન અને સૂર્યાની ટીમ આ મામલે પાછળ રહી ગઈ હતી.

હાર્દિક અને સૂર્યા વચ્ચે લાંબી વાતચીત થઈ

ગુરુવારે પલ્લેકેલેમાં આયોજિત પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુકાનીપદના વિવાદ બાદ પહેલીવાર બંને ખેલાડીઓ આટલા લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, પરંતુ તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ જવાબદારી સૂર્યકુમાર યાદવને આપી. જો કે આ નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયામાં કોઈ તિરાડ પડે તેમ લાગતું નથી. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં કેવી રીતે રમે છે અને ક્લીન સ્વીપથી જીત મેળવે છે કે પછી ઘરઆંગણે શ્રીલંકા જીતશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતનો પહેલો મેડલ લગભગ નિશ્ચિત, પુરુષ તીરંદાજી ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">