AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પલ્લેકેલેમાં જોરદાર તૈયારીઓ કરી રહી છે. સતત 2 દિવસ સુધી સંપૂર્ણ સ્ટ્રેન્થ પ્રેક્ટિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જબરદસ્ત ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી. જેમાં ટીમ મેનેજમેન્ટે ત્રણ કેપ્ટન બનાવ્યા હતા. જાણો એ ડ્રિલમાં શું થયું?

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 'કેપ્ટન', હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
Riyan Parag, Hardik Pandya, Ravi Bishnoi
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:55 PM

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝ 27 જુલાઈથી પલ્લેકેલેમાં શરૂ થઈ રહી છે. આ મેદાન પર ત્રણેય મેચો યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ ખાસ છે કારણ કે ટીમના કેપ્ટન અને કોચ બંને નવા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે અને ગૌતમ ગંભીર મુખ્ય કોચ બની ગયો છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં આસાનીથી T20 સિરીઝ જીતવા ઈચ્છે છે અને આ માટે પલ્લેકેલેના મેદાનમાં ખાસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાએ ગુરુવારે એક ખાસ ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી, જેમાં ટીમના ત્રણ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ

પલ્લેકેલેના રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા છે. દરેક ટીમમાં 5-5 સભ્યો હતા. ત્રણેય ટીમના ખેલાડીઓએ સ્ટમ્પ પર ડાયરેક્ટ હીટ મારવાની હતી. ત્રણેય ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ અંતે હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ. રિષભ પંતે 2 અને અર્શદીપ સિંહે એક ડાયરેક્ટ હીટ મારી. શુભમન અને સૂર્યાની ટીમ આ મામલે પાછળ રહી ગઈ હતી.

હાર્દિક અને સૂર્યા વચ્ચે લાંબી વાતચીત થઈ

ગુરુવારે પલ્લેકેલેમાં આયોજિત પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુકાનીપદના વિવાદ બાદ પહેલીવાર બંને ખેલાડીઓ આટલા લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, પરંતુ તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ જવાબદારી સૂર્યકુમાર યાદવને આપી. જો કે આ નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયામાં કોઈ તિરાડ પડે તેમ લાગતું નથી. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં કેવી રીતે રમે છે અને ક્લીન સ્વીપથી જીત મેળવે છે કે પછી ઘરઆંગણે શ્રીલંકા જીતશે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતનો પહેલો મેડલ લગભગ નિશ્ચિત, પુરુષ તીરંદાજી ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">